સરકારને લોકસભામાં ગરીબી રેખા સંબંધિત પ્રશ્નના જવાબમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે કહ્યું કે, દેશની 21.9% વસ્તી ગરીબી રેખા નીચે છે. જોકે આ આંકડા 2011-12ના છે.
લોકસભામાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગરીબીને લઈ આંકડા રજૂ કર્યા
આજે પણ દેશમાં 21.9% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે: સરકાર
આંકડાઓ અનુસાર છત્તીસગઢમાં સૌથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે
ગુજરાતમાં 17% વસ્તી ગરીબી રેખા હેઠળ જીવે છે
હાલ ચાલી રહેલા ચોમાસું સત્રમાં સરકારે ભારતમાં ગરીબીને લઈ આંકડા રજૂ કર્યા છે. તે મુજબ આજે પણ દેશમાં 21.9% વસ્તી ગરીબી રેખા નીચે છે. આ આંકડા 2011-12ના છે. કારણ કે, ત્યારથી ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યાનો હિસાબ નથી. નોંધનિય છે કે, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તેની લગભગ 80 ટકા વસ્તી ગરીબી રેખા નીચે હતી.
આઝાદીના 75 વર્ષ બાદ ગરીબી રેખા નીચે જીવતી વસ્તી ઘટીને 22 ટકા થઈ ગઈ છે. પરંતુ, જો તે સંખ્યાઓમાં જોવામાં આવે, તો તેમાં કોઈ નોંધપાત્ર તફાવત નથી. આઝાદી સમયે 25 કરોડ લોકો ગરીબી રેખા નીચે હતા, આજે પણ 269 કરોડ લોકો ગરીબ છે.
સરકારે લોકસભામાં શુ કહ્યું ?
સરકારને લોકસભામાં ગરીબી રેખા સંબંધિત પ્રશ્નના જવાબમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે કહ્યું કે, દેશની 21.9% વસ્તી ગરીબી રેખા નીચે છે. આ આંકડા 2011-12ના છે. કારણ કે, ત્યારથી ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યાનો હિસાબ નથી.
ગરીબી રેખાની વ્યાખ્યા શુ ?
સરકારે ગરીબી રેખાની વ્યાખ્યા પણ આપી છે. આ મુજબ જો કોઈ ગામડાઓમાં દર મહિને 816 રૂપિયા અને શહેરમાં 1000 રૂપિયા ખર્ચ કરે છે, તો તે ગરીબી રેખાથી નીચે નહીં આવે. હજુ પણ દેશમાં લગભગ 22 ટકા લોકો ગરીબી રેખા નીચે છે. એટલે કે 100માંથી 22 લોકો એવા છે જેઓ મહિને એક હજાર રૂપિયા પણ ખર્ચવામાં અસમર્થ છે.
સુથી વધુ ગરીબી કયા રાજ્યમાં ?
આંકડાઓ અનુસાર છત્તીસગઢમાં સૌથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. અહીંની લગભગ 40 ટકા વસ્તી ગરીબી રેખા નીચે છે. ઝારખંડ, મણિપુર, અરુણાચલ, બિહાર, ઓડિશા, આસામ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં 30% કે તેથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. એટલે કે આ રાજ્યોમાં દર 10માંથી 3 લોકો ગરીબી રેખા નીચે આવે છે.
એક અંદાજ મુજબ, આઝાદીના સમયે દેશમાં 250 મિલિયનથી વધુ લોકો ગરીબી રેખા નીચે હતા. જે તે સમયે વસ્તીના 80% છે. આપણા દેશમાં 1956થી ગરીબોની સંખ્યાનો હિસાબ રાખવામાં આવે છે. બીએસ મિન્હાસ કમિશને તેનો રિપોર્ટ પ્લાનિંગ કમિશનને સુપરત કર્યો હતો. એક અંદાજ મુજબ 1956-57માં દેશના 215 કરોડ લોકો ગરીબી રેખા નીચે હતા. આ પછી, 1973-74માં, 55 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી. 1983માં આ આંકડો ઘટીને 45 ટકાથી પણ ઓછો થઈ ગયો. 1999-2000માં એવો અંદાજ હતો કે દેશની 26 ટકા વસ્તી ગરીબી રેખા નીચે છે.
છેલ્લે ક્યારે ગરીબો અને ગરીબી રેખાનો રિપોર્ટ તૈયાર થયો હતો ?
છેલ્લી વખત ગરીબો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 2011-12માં આવી હતી. સરકાર દ્વારા લોકસભામાં પણ આ જ આંકડા આપવામાં આવ્યા છે. આ આંકડો તેંડુલકર કમિટીની ફોર્મ્યુલા પરથી લેવામાં આવ્યો હતો. આ મુજબ જો કોઈ ગામડામાં રહેતો વ્યક્તિ દરરોજ 26 રૂપિયા અને શહેરી વ્યક્તિ 32 રૂપિયા ખર્ચી રહ્યો હોય તો તે ગરીબી રેખાની નીચે નહીં આવે. એટલે કે, ગામડામાં રહેનાર વ્યક્તિ દર મહિને 816 રૂપિયા અને શહેરી વ્યક્તિ 1000 રૂપિયા ખર્ચ કરે છે, તો તેને ગરીબ માનવામાં આવશે નહીં.
અહેવાલ બાદ ભારે હોબાળો
સરકારના આ અહેવાલ પર ભારે હોબાળો થયો હતો. આ પછી સરકારે રંગરાજન સમિતિની રચના કરી. આ સમિતિએ સૂચન કર્યું હતું કે, જો ગામડામાં રહેતો વ્યક્તિ મહિને 972 રૂપિયા અને શહેરમાં રહેતો 1,407 રૂપિયા ખર્ચતો હોય તો તેને ગરીબી રેખાથી ઉપર રાખવામાં આવે. જોકે, સરકારે હજુ સુધી તેને મંજૂરી આપી નથી.