સ્વામીનારાયણ મંદિર ગઢડા ગોપીનાથ મંદિરનો વિવાદ, જોઈન્ટ ચેરિટી કમિશનરના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટના વિવાદનો મામલો
મંદિરના વહિવટ વિવાદ પર હાઇકોર્ટની ખંડપીઠનો હુકમ
સિંગલ જજના ચુકાદાને ખંડપીઠે ફરમાવ્યો મનાઇ હુકમ
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટના વિવાદ પર હાઈકોર્ટની ખંડપીઠે નવો હુકમ આપ્યો છે. આ અગાઉ સિંગલ જજના ચુકાદાને હાઈકોર્ટની ખંડપીઠ દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. લાંબા સમયથી ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટ વહિવટને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આચાર્ય પક્ષ અને દેવપક્ષ દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી રહી છે. જોઈન્ટ કમિશનરના ચુકાદાને સૌ પ્રથમ દેવપક્ષ દ્વારા હાઈકોર્ટની સિંગલ જજ બેંચ સામે રજૂ કરાયો હતો. સિંગલ જજની બેંચના ચૂકાદા સામે આચાર્ય પક્ષે ખંડપીઠ સામે રજૂ કર્યો હતો.
જોઈન્ટ ચેરિટી કમિશનરના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોઇન્ટ કમિશનરે હરજીવન સ્વામીની તરફેણમાં આપેલા ચુકાદા સામે રમેશ ભગતે અરજી કરી હતી. જે બાદ કમિશનરના નિર્ણયને હાઈકોર્ટમાં સિંગલ જજની બેંચે દેવપક્ષ એટલે રમેશ ભગતની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અને ટ્રસ્ટની મિટિંગનો વહિવટ રમેશ ભગત સંભાળશે તેવું ફરમાન કરવામાં આવ્યું હતું. આ નિર્ણય વિરુદ્ધ આચાર્યપક્ષ દ્વારા ખંડપીઠમાં અપીલ કરવામાં આવી હતી. જે અપીલ પર આજે હાઈકોર્ટની ખંડપીઠે નવો હુકમ કર્યો છે.
હરજીવન સ્વામીએ જોઈન્ટ ચેરીટી કમિશનર કચેરીમાં અરજી કરીને રમેશ ભગત ટ્રસ્ટની આવી મિટીંગ યોજી શકે નહીં તે પ્રકારનો નિર્દેશ આપવા માગણી કરી હતી. જોઈન્ટ ચેરીટી કમિશનરે હરજીવન સ્વામીની તરફેણમાં ચુકાદો આપતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.