વિપક્ષી પાર્ટીઓએ જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) ના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને મુક્ત કરવાને લઇને કેન્દ્ર સરકારને સંયુક્ત પ્રસ્તાવ મોકલ્યો છે. આઠ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મીડિયામાં સંયુક્ત નિવેદન જારી કરી કાશ્મીરમાં રાજકીય નજરબંધ નેતાઓની મુક્ત કરવાની માંગ કરી છે.
વિપક્ષી પાર્ટીઓએ જમ્મૂ કાશ્મીરના ત્રણ પૂર્વ CMને મુક્ત કરવાને લઇને કેન્દ્ર સરકારને સંયુક્ત પ્રસ્તાવ મોકલ્યો
ગત સાત મહીનાથી ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને વિના કોઇ પુરાવાના આધારે અટકાયતમાં રાખવામાં આવ્યા છે
જે લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે, તેમાંથી જમ્મૂ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામેલ છે. તેઓને ગત વર્ષે પાંચ ઓગસ્ટે જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 દૂર કરવા દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
નિવેદન અનુસાર, લોકશાહી મુલ્યો, મૌલિક અધિકારો અને નાગરિક સ્વતંત્રતાઓ પર સતત હુમલા વધી રહ્યા છે. એવામાં અસહમતિની અવાજને ન માત્ર દબાવામાં આવી આવી રહી છે. પરંતુ ગંભીર મુદ્દાઓને ઉઠાવનારને યોજનાબદ્ધ તરીકે ચુપ કરવામાં આવી રહ્યા છે.
વિપક્ષે કહ્યું કે ગત સાત મહીનાથી ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને વિના કોઇ પુરાવાના આધારે અટકાયતમાં રાખવામાં આવ્યા છે અને આ નેતાઓનો એવો કોઇ ભૂતકાળ નથી કે જેના આધારે એમ કહેવામાં આવી શકે કે આ લોકો જમ્મૂ કાશ્મીરમાં સાર્વજનિક સુરક્ષા માટે ખતરો બની શકે છે.