PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળ્યા બાદ G-20 હેઠળની 15 સમિટ પૈકી B-20 ઇન્સેપ્શનની પ્રથમ બેઠક મહાત્મા મંદિરમાં યોજાઈ
G-20 સમિટ હેઠળ B-20 ઇન્સેપ્શન મિટિંગનો દબદબાભેર પ્રારંભ થયો
વિદેશના 200અને દેશના 40 ડેલિગેટ્સ બેઠકમાં ભાગ લેશે
મહાત્મા મંદિરમાં B-20 ઇન્સેપ્શનની પ્રથમ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળી છે. આ અતર્ગત આજે G-20 સમિટ હેઠળ B-20 ઇન્સેપ્શન મિટિંગનો દબદબાભેર પ્રારંભ થયો છે. મહાત્મા મંદિર ખાતેથી B-20 ઈન્સેપ્શન મિટિંગનો આજે વિધિવત્ પ્રારંભ થયો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય આઇ.ટી.અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, G-20ના દેશના શેરપા અમિતાભ કાંત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસ માટે RAISE થીમ પર યોજાયેલી મિટિંગમાં વિવિધ સેશનમાં ક્લાઇમેટ એક્શન સહિતના વિષયો પર દેશ-વિદેશના નિષ્ણાતો તેમના વિચારો વ્યકત કરશે.
મહાત્મા મંદિરમાં B-20 ઇન્સેપ્શનની પ્રથમ બેઠક
G-20 હેઠળની 15 સમિટ પૈકી B-20 ઇન્સેપ્શનની પ્રથમ બેઠક આજે મહાત્મા મંદિરમાં ગાંધીનગર યોજાઈ છે. જેમાં વિદેશથી 200 અને દેશમાંથી 20 ડેલિગેટ્સ ભાગ લઇ રહ્યા છે. ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ G-20 બેઠક યોજાવાની છે તેના માટે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. B-20 સમિટમાં ભાગ લેવા આવી પહોંચેલા તમામ મહેમાનોનું એરપોર્ટ અને હોટલ પર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું. G-20 પહેલા યોજાયેલી આ મિટિંગ RAISE-રિસ્પોન્સિબલ, એક્સિલરેટેડ, ઇનોવેટિવ, સસ્ટેનેબલ, ઇકિ્વટેબલ જેવા વિચાર આધારિત રાખવામાં આવી છે.
લંચ અને ડિનરમાં કઠોળને પ્રાધાન્ય
ગઈકાલે તમામ મહાનુભાવોને સ્ટેટ ડિનર આપવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન વિદેશથી આવેલા તમામ મહાનુભાવોને આપવામાં આવનારા લંચ અને ડિનરમાં કઠોળને પ્રાધાન્ય અપાશે. આવતીકાલે મહેમાનોને પુનિત વનમાં યોગ સત્ર અને ઇકો-ટૂર, ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાત કરાવાશે. આજે સાંજે 6થી 7 દરમિયાન ગુજરાતમાં રહેલી તકો ઉપર એક સ્પેશિયલ પ્લેનરી સેશન પણ યોજાયું છે.
સત્ર દરમિયાન દેશ-વિદેશના નિષ્ણાતો તેમના વિચારો વ્યક્ત કરશે
B-20ના સત્ર દરમિયાન સરકારના 10 નિષ્ણાતો, 9 ઇન્ટરનેશનલ સ્પીકર, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના 7 સ્પીકર સમિટમાં તેમના વિચારો વ્યકત કરશે. જેમાં G-20 શેરપા અમિતાભ કાંત, ટાટા સન્સના અધ્યક્ષ એન.ચંદ્રશેખરન, બજાજ ફિનવર્સ લિ.ના ચેરમેન સંજીવ બજાજ, ભારત ફોર્જ લિ.ના બાબા કલ્યાણી, યુ.કેના રાજયકક્ષાના પ્રધાન લોર્ડ ડોમિનિક જોન્સન, યુ.કે.ના એનર્જી ટ્રાન્ઝિશન કમિશન લોર્ડ એડેર ટર્નર, યુએસએ સ્થિત ઓઇસીડી ચેરમેન ચાર્લ્સ રિક જોહ્નસ્ટન, સ્વિડનના એરિકશન ઉદ્યોગના પ્રમુખ-સીઇઓ બોર્જે એકહોલ્મ અને ઇટાલીના માર્સેગાગ્લિયા હોલ્ડિંગના સીઇઓ એમ્મા માર્સેગાગ્લિયા સહિત સેઈડ બિઝનેસ સ્કૂલના ડિન ઓક્સફર્ડ એન ચંદ્રશેખરન, L.T.C Ltdના સીએમડી અનેત મહેશ્વરી માઈક્રો સોફ્ટ ઈન્ડિયાના ચેરમેન ટી.વી. નરેન્દ્રન અને ટાટાસિટીલના એમડી.શસી મુકુંદનનો સમાવેશ થાય છે.