પાણીપુરી એક એવી વાનગી છે જેને ભારતની દરેક છોકરીઓ મોટેભાગે પસંદ કરતી હોય છે. છોકરીઓને જ વધતુ વજન પરેશાન કરે છે પણ હવે પાણીપુરી ખાવાથી વજન ઉતરશે.
પાણીપુરીથી ઘટાડો વજન
ગળી ચટણી ખાવાથી બચો
6 પાણીપુરીની પ્લેટથી ઘટશે વજન
પાણીપુરી ખાવાથી નહી લાગે ભૂખ
મેદસ્વિતાથઈ પીડિત લોકો માટે પાણીપુરી એક હેલ્ધી ઓપ્શન છે. જો તમે ડાયેટ પર છો અને વજન ઓછુ કરવા ઇચ્છો છો તો 6 પાણીપુરીની પ્લેટ તમારુ વજન ઓછુ કરવામાં મદદ કરશે. તમને ખબર જ છે કે પકોડીનુ પાણી ચટપટુ હોય છે અને તેને ખાધા બાદ કલાકો સુધી ભૂખ લાગતી નથી. જેનાથી વજન ઘટવામાં તમને મદદ મળશે.
ઘરે બનાવેલી પાણીપુરી જ ખાઓ
ઘણા ડાયટીશીયન સલાહ આપે છે કે પાણીપુરી વજન ઓછુ કરવામાં ત્યારે જ મદદ કરશે જ્યારે ઘરે બનેલી પાણીપુરી તમે ખાશો. ઘરે જો તમે ઘઉંની પુરીઓ તૈયાર કરી શકો અને તેને તેલમાં તળી તેમાં જ મસાલો એડ કરીને ખાશો તો તમને વજન ઓછુ થવામાં મદદ મળશે.
પાણીપુરીના પાણીના ફાયદા
ઘરે તૈયાર કરેલા પાણીના ઘણા ફાયદા છે. કારણકે ઘરના પાણીમાં તમે ફુદીનો, જીરુ અને હીંગ જેવી વસ્તુઓ એડ કરશો જે તમારા પાચન માટે સારુ છે. જો તમે તેમાં લીલા ધાણાનો ઉપયોગ કરશો તો શરીરમાં વધતા સોજાને તે રોકે છે. હીંગ મહિલાઓના પીરિયડ્સના દુઃખાવાને ઓછુ કરે છે. પકોડીના પાણીમાં ઘણા એવા ગુણ હોય છે.
પાણીપુરી ખાતા પહેલા રાખો ધ્યાન
પાણીપુરીમાં ગળી ચટણી ખાવાથી બચો કારણકે મેદસ્વિતા માટે જવાબદાર હોય છે.
જો તમે ડાયેટ પર છો તો શુગરનો ઉપયોગ સહેજ પણ ન કરો,હમેશા શુગર ફ્રીનો જ ઉપયોગ કરો
પાણીપુરીમાં ગળ્યા પાણીનો ઉપયોગ ન કરો, તેની જગ્યાએ ખાટા પાણીનો ઉપયોગ કરો.