આજથી ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ખાનગી શાળાઓ આજથી ઓનલાઇન શિક્ષણ આપશે નહીં. ગઈકાલે સંચાલક મંડળોએ જાહેરાત કરી છે. સ્કૂલ ફીને લઈને સંચાલક મંડળોએ નિર્ણય કર્યો છે. ગુજરાત શાળા સંચાલક મહામંડળે નિર્ણય લીધો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પણ નિર્ણય લીધો હતો નિર્ણય.. અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ફીને લઈને હાઈકોર્ટે નિર્ણય આપ્યો હતો.
ગુજ. HCના ચુકાદા બાદ ખાનગી શાળા સંચાલકોનો નિર્ણય
આજથી ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ બંધ
વડોદરામાં 250 ખાનગી શાળાઓએ શિક્ષણ કર્યું બંધ
ગુજરાત હાઇકોર્ટેના નિર્ણય બાદ ખાનગી શાળા સંચાલકોએ પણ મહત્વનો નિર્ણય કર્યો છે. આજથી ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ બંધ કરાયું છે. વડોદરામાં 250 ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. શાળા સંચાલકોના આ નિર્ણયથી વાલીઓ પરેશાન છે. શાળા સંચાલકોના આ નિર્ણયથી 2.5 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે.
ઓનલાઇન શિક્ષણ બંધ થતા અમદાવાદના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે. ઓનલાઇન શિક્ષણ બંધ થતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે. ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળાઓએ સામે સરકાર પગલા લે તેવી માંગણી વાલીઓમાંથી ઉઠી રહી છે.
અરવલ્લી જિલ્લામાં આજથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મોડાસા ખાતેના ખાનગી શાળાઓના સંચાલકોએ બેઠક મળી હતી.. સમગ્ર જિલ્લાની ખાનગી શાળાઓએ ઓન લાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લામાં 50 થી વધુ ખાનગી શાળાઓ છે. તમામ શાળાએ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાન નિર્ણય લીધો છે. જો કે વાલીઓનો મત છે કે,સરકાર અને સંચાલક મંડળની લડાઈમાં બાળકોનું ભાવિ જોખમાઇ રહ્યું છે.
વડોદરામાં શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું
વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.સી.પટેલે મોટું નિવેદન કર્યું છે. કહ્યું કે સરકારે મંડળના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વિના પરિપત્ર કર્યો છે. ઓનલાઇન શિક્ષણ બંધ કરવાથી શાળા સંચાલકો પણ દુઃખી છે. સરકાર રાજ્યના ત્રણ મંડળના હોદ્દેદારો સાથે બેઠક કરે. બેઠક કરી પરિપત્ર પાછો ખેંચે તો જ નિરાકરણ આવશે. નિરાકરણ નહીં આવે તો શાળાઓ એકમ કસોટી પણ લેશે નહીં. સરકાર સ્વનિર્ભર શાળા સંચાલકો માટે આર્થિક પેકેજ જાહેર કરે.