આ વર્ષે ડુંગળીનાં ભાવમાં વધારો નહીં જોવા મળે કેમકે સરકારે બફર સ્ટોક તૈયાર રાખ્યો છે. જાણો વિગતવાર
આ વર્ષે ડુંગળીની કીમાંતોમાં વધારો જોવા નહીં મળે
સરકાર પાસે છે બફર સ્ટોક
સરેરાશ કરતાં વધારે કિંમતોનાં વિસ્તારમાં મોકલવામાં આવશે ડુંગળી
આ વર્ષે ડુંગળીની કીમાંતોમાં વધારો જોવા નહીં મળે
ભારતમાં ડુંગળીની ઇમમતો હંમેશાથી ઘણો સંવેદનશીલ મુદ્દો રહ્યો છે અને મોન્સૂનની વાપસીની સાથે સાથે આ મુદ્દો સરકારોનું ટેન્શન પણ વધારી રહ્યો છે. મોન્સૂનમાં સપ્લાયમાં અછત અને નવા પાકનાં આવકમાં વધારે સમય લગાવાને કારણે કિંમતો વધવાનો ટ્રેન્ડ બતાવવામાં આવે છે. મોટેભાગે આ દરમિયાન ડુંગળી 100 રૂપિયાનાં સ્તરને પાર પહોંચતી જોવા મળે છે. જોકે આ વર્ષે સરેરાશ કિંમતો પહેલા અઠવાડિયામાં 30 રૂપિયા પ્રતિ કિલોનાં સ્તરથી પણ નીચે છે અને આગળ પણ વધારાની કોઈ આશંકા નથી.
સરકારે ગત વર્ષોમાં કિંમતોનાં ટ્રેન્ડને જોઈને બફર સ્ટોક બનાવ્યો અને દેશનાં જે હિસ્સામાં કિંમતો વધી રહી છે, ત્યાં આ સ્ટોકથી સપ્લાય વધારવામાં આવી રહી છે. હાલમાં જ સરકારે નિર્ણય લીધો છે કે પોતાના બફર સ્ટોકથી લગભગ 50,000 ટન ડુંગળી દિલ્હી અને ગુવાહાટી જેવા અમુક શહેરોમાં ઉતારશે, જ્યાં ડુંગળીની કિંમતો ભારતીય સરેરાશ દરો કરતાં થોડી વધારે છે.
ડુંગળીની કિંમતો પર નિયંત્રણ માટે વધારી સપ્લાય
ડુંગળી ની અખિલ ભારતીય સરેરાશ કિંમત મંગળવારે 26 રૂપિયા પ્રતિ કિલો હતી, જોકે, દેશમા અમુક ભાગમાં કિંમતો સરેરાશ કરતાં વધારે છે. આ ધ્યાનમાં રાખતા સરકારે કોશિશો વધારી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, ઉપભોક્તા મામલાઓનાં વિભાગે પોતાના બફર સ્ટોકમાંથી 50000 ટન ડુંગળી દિલ્હી અને ગુવાહાટી જેવા શહેરોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ અનુસાર, વિભાગે બધા રાજ્યોને ડુંગળીની જરૂર હોવાથી ઓર્ડર આપવા માટે લખ્યું છે. કેન્દ્ર ડુંગળી 18 રૂપિયા કિલોની આસપાસ આપી રહ્યું કછે. સપ્લાય વધવાની સાથે સાથે જી શહેરોમાં કિંમતો સરેરાશ સ્તર કરતાં વધારે છે, ત્યાં કિંમતોમાં સપ્લાય વધતાં નરમી જોવા મળી શકે છે.
આ વર્ષે ડુંગળી નહીં રડાવે
ડુંગળીની ખરાબ થઈ જવાની પ્રકૃતિ અને રબી ખરીફ પાક વચ્ચે અંતરને કારણે ડુંગળીની કિંમતો સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે વધી જાય છે. જોકે, આ વર્ષે ડુંગળીની કિંમતોને સ્થિર કરવા માટે કેન્દ્ર 2.5 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક પણ આપશે. વર્ષ 2020-2021માં ડુંગળીનું ઉત્પાદન 266.41 ટન અને ખોટ 160.50 લાખ ટન હતી. ડુંગળીનો નવો પાક નવેમ્બર સુધીમાં આવવાનો શરૂ થઈ જશે. એટલે કે સરકારો માટે સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર સુધી ડુંગળીનાં ભાવ મહત્વના રહે છે. સરકારને આશા ચ એકે બફર સ્ટોક , શ્રાદ્ધ અને નવરાત્રી દરમિયાન ડુંગળીની માંગમાં ઘટાડા જેવા ફેક્ટરને કારણે આ વર્ષે કિંમતોમાં કોઈ વધારો નહીં જોવા મળે. જો વધારો થાય છે, તો પણ ખૂબ જ ઓછો અને સીમિત જ હશે.