પાકિસ્તાનમાં દર વર્ષે અંદાજે 1000 યુવતીઓને જબરદસ્તી મુસ્લિમ બનાવવાનો રિપોર્ટ સામે આવ્યો છે. અમેરિકન સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસે આના પર વિસ્તારથી એક રિપોર્ટ રજૂ કર્યો છે.
સગીર યુવતીઓના મોટી ઉંમરના લોકો સાથે લગ્ન કરી દેવાય છે
લૉકડાઉનમાં વધી જબરદસ્તી ધર્મ પરિવર્તનની ઘટનાઓ
પાકિસ્તાનની કેટલીક છોકરીઓએ સમાચાર એજન્સી એપીએ જબરદસ્તી મુસ્લિમ બનાવવાની આપવીતી સંભળાવી છે. 14 વર્ષની નેહા પણ તેમાંની એક છે. પાકિસ્તાનની નેહા ધર્માંતરણ પહેલા ઈસાઇ હતી, પરંતુ ગત વર્ષે જબરદસ્તી મુસ્લિમ બનાવવામાં આવી. નેહાના લગ્ન જે મુસ્લિમ પુરૂષ સાથે કરાવવામાં આવ્યા, તેની ઉંમર 45 વર્ષ છે. પતિ જોકે સગિરા સાથે લગ્ન અને દુષ્કર્મના આરોપમાં જેલમાં છે. પરંતુ નેહા હજુ પણ ખુબ ડરેલી છે કારણ કે કોર્ટમાં તેમના પતિના ભાઈ પાસેથી સુરક્ષા કર્મચારીઓએ પિસ્તોલ જપ્ત કરી હતી. નેહાએ જણાવ્યું કે, તે તેને ગોળી મારવા માટે બંદૂક લાવ્યો હતો.
લૉકડાઉનમાં વધી જબરદસ્તી ધર્મ પરિવર્તનની ઘટનાઓ
પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયની યુવતીઓને જબરદસ્તી ધર્માંતરણની ઘટનાઓ સામે આવતી રહે છે. માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે, લૉકડાઉન દરમિયાન આવી ઘટનાઓ વધી ગઇ. યુવતીઓની તસ્કરી કરાવનારા હવે ઇન્ટરનેટ પર વધુ સક્રિય છે. કેટલાક પરિવાર લૉકડાઉનના કારણે લેણાંમાં ડુબેલા છે અને મજબૂરીમાં પોતાના ઘરની યુવતિઓનું ધર્માંતરણ અને લગ્ન માટે હા પાડી દે છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે આ મહિને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના મામલે પાકિસ્તાનની સ્થિતિ ચિંતાજનક ગણાવી હતી, જેને પાકિસ્તાનની સરકાર તરફથી ફગાવી દેવામાં આવી હતી. પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાના મામલે ચિંતાજનક વર્ગમાં નાખવામાં આવ્યું હતું.
આનો મુખ્ય આધાર અમેરિકન ધાર્મિક સ્વતંત્રતા આયોગનો રિપોર્ટ હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનમાં હિન્દુ, ઈસાઈ અને શિખ અલ્પસંખ્યકોની સગીર યુવતીઓના અપહરણ કરી તેમને ઇસ્લામમાં જબરદસ્તી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તેમના જબરદસ્તી લગ્ન કરાવવામાં આવી રહ્યા છે અને તેમની સાથે બળાત્કાર થઇ રહ્યો છે.
ઈસાઈ ધર્મની યુવતીઓને પણ જબરદસ્તી બનાવવામાં આવી રહ્યા છે મુસ્લિમ
પાકિસ્તાનમાં જબરદસ્તીના વધુ પડતા મામલાઓમાં સિંધ પ્રાંતથી આવે છે, જ્યાં હિન્દુ વસ્તી ખુબ જ ગરીબ છે. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓથી, પાકિસ્તાનમાં નેહા સહિત ઈસાઈ ધર્મની 2 યુવતીઓને જબરદસ્તી ધર્માંતરણનો મામલો ચર્ચામાં રહ્યો છે. વધુ પડતી યુવતીઓના અપહરણ તેમના જાણીતા, સંબંધી અથવા દુલ્હન શોધી રહેલા લોકો જ કરે છે.
એક્ટિવિસ્ટ જિબ્રાન નાસિર શાદી કરાવનારા મૌલવી, દલાલ અને અધિકારીઓએ સમગ્ર નેટવર્ક માફિયા કરાર આપે છે. આ માફિયા બિન-મુસ્લિમ યુવતી શિકાર બનાવે છે કારણ કે ઉમ્રદરાજ અને યૌન ઉત્પીડન કરાવનારા લોકો માટે સરળ ટારગેટ હોય છે.
આ ગેંગનું જોર ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવાથી વધુ વર્જિન દુલ્હનની ડિમાન્ડ પર રહે છે. પાકિસ્તાનની 22 કરોડની કુલ વસ્તીમાં અલ્પસંખ્યકોની વસ્તી માત્ર 3.6 ટકા છે અને તેમના વિરૂદ્ધ સતત ભેદભાવ હોય છે.
જો કોઇ જબરદસ્તી ધર્માંતરણની ફરિયાદ કરાવવા માટે આગળ આવે છે તે તેમને ખુબ જ સરળતાથી ઈશનિંદના આરોપ હેઠળ પ્રતાડિત કરવામાં આવે છે.