વધુ એક સરકારી કંપની બંધ કરવા પર કેન્દ્ર સરકારે મોહર લગાવી દીધી છે. મંગળવારની કેબિનેટ બેઠક પર લાંબા સમયથી ચાલી રહેલી આ ચર્ચા પર મોહર લાગી છે.
વધુ એક સરકારી કંપની બંધ
HHECને લઇને લીધો નિર્ણય
ખોટમાં ચાલતી હતી આ કંપની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળના વસ્ત્ર મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ આધિન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ્સ કોરપોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને બંધ કરાવવાની સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.
નાણાકીય વર્ષ 2015-16થી હેન્ડલૂમ એક્સપોર્ટ કોરપોરેશન સતત ખોટમાં ચાલી રહી હતી. સરકારનુ કહેવુ હતુ કે કંપની ફરીથી ચાલુ થાય તો નફામાં આવવાની સંભાવના ખુબ જ ઓછી હતી માટે આ કંપનીને બંધ કરવી જરૂરી હતી.
કોરપોરેશનમાં 59 સ્થાઇ કર્મચારી છે અને 6 મેનેજમેન્ટ ટ્રેની છે. બધા જ સ્થાઇ કર્મચારીઓ અને મેનેજમેન્ટ ટ્રેની જે સાર્વજનિક ઉધમ વિભાગ દ્વારા નિર્ધારિત કરેલા નિયમો અનુસાર VRSનો લાભ ઉઠાવવાનો અવસર આપવામાં આવશે.
HHECને બંધ કરવાના આ નિર્ણયથી સરકારી ખજાનામાં બચત થશે. તેનાથી બીમાર સીપીઅસઇ પર ભથ્થાના ખર્ચમાં કમી આવશે. આ એક એવો સાર્વજનિક ઉપક્રમ છે જે પરિચાલનમાં નથી અને તેનાથી કોઇ પ્રકારની કમાણી પણ નથી થઇ રહી.
HHEC ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય હેઠળ આવનારી આ કંપની હતી. આ કંપની ભારતીય હસ્તશિલ્પ, ભારતીય હથકરઘા, સજાવટ, ઉપહાર, પ્રાચીન વસ્તુઓ, ચામડાની સજાવટ, રત્ન અને આભૂષણ, ચામડાની સજાવટ વગેરે સાથે જોડાયેલી હતી.
આ કંપની 1958માં શરૂ થઇ હતી અને તેનો હેતુ ભારતીય હસ્તશિલ્પ, સજાવટ, ઉપહાર વગેરે પ્રોડ્ક્ટ્સને દુનિયાના બજાર સુધી પહોંચાડવાનો હતો.