બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ખરીદીમાં મંડળી મુદ્દે વધુ એક વિવાદ ઉભો થયો છે. ફળ અને શાકભાજી મંડળીઓ દ્વારા મગફળી ખરીદાઈ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠામાં 4 ખરીદ કેદ્ર શાકભાજી મંડળીને અપાયા છે. એક મંડળીને સરકારે 3 વર્ષ અગાઉ ગેરરીતિ મામલે ગેરમાન્ય ઠેરવી હતી.
રણછોડપુરા મંડળીને સરકારે ગેરરીતિ બદલ અલગ તારવી હતી. જે મંડળીનું ઓડિટ પણ થતુ નથી તેણે ખરીદ કેદ્ર આપવામાં આવ્યું છે. રજીસ્ટ્રારે જે મંડળીને શંકાસ્પદ ઠેરવી તેણે ખરીદ કેદ્ર અપાયુ છે. બનાસડેરીએ આ વિવાદાસ્પદ મંડળીને ખરીદ કેદ્ર આપ્યું છે.
વિવાદાસ્પદ મંડળી દ્વારા 1 660 લાખની મગફળી ખરીદાઈ હતી. હવે જિલ્લા રજિસ્ટાર આ કૌભાંડ વિશે મૌન ધારણ કરીને બેઠા છે. ત્યારે અહી સવાલ થાય છે કે રજિસ્ટારે મંડળી વિશે પોતાનો અભિપ્રાય કેમ જાહેર કરતા નથી. શાકભાજીની લે-વેચ કરતી મંડળીઓએ મગફળી કેમ ખરીદી.