ગુજરાતમાં દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. અમદાવાદમાં આજે હ્દય કંપાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા એક દુકાનમાં લાગેલી આગમાં એક જીવતો માણસ ભુંજાઈ ગયો હતો.
ગુજરાતમાં એક પછી એક ગોઝારી ઘટનાઓ સામે આવી રહી છે. કલોલ ગેસપાઈપલાઈનમાં વધુ એકનું મોત થયું છે જ્યારે નારોલમાં દુકાનમાં લાગેલી આગે એકનો ભોગ લીધો છે.
ગોઝારી ઘટનામાં વેલજી પટેલ નામના વ્યક્તિનું મૃત્યુ
અમદાવાદના લાંભા ટર્નિંગ નજીક ટ્રાન્સપોર્ટની દુકાનમાં અચાનક આગ લાગી હતી અને આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી આ ગોઝારી ઘટનામાં વેલજી પટેલ નામના વ્યક્તિનું મૃત્યુ થ.યું છે. જો કે દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
કલોલ ગાર્ડનસિટી બ્લાસ્ટનો મામલો
કલોલમાં ગેસ પાઈપલાઈનમાં થયેલા બ્લાસ્ટમાં વધુ એક વ્યક્તિનુ મૃત્યુ થયું છે. એ ગોઝારી ઘટનામાં અગાઉ બેના મોત થયા હતા જ્યારે બ્લાસ્ટમાં દાઝેલા વૃદ્ધાનું પણ મોત થતાં દીકરા, વહુ અને હવે માતાનું પણ મૃ મોત થતા કલોલ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 3 થઈ ગયો છે.