કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર દુનિયામાં ચિંતાજનક રીતે પ્રસરી રહ્યો છે.
ઓમિક્રોનના ફેલાવાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર
WHOના વડાએ આપ્યું મોટું નિવેદન
કહ્યું- 3 કારણોસર ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
રાજધાની દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં દરરોજ કુદકેને ભુસકે કોવિડ કેસો વધી રહ્યા છે. જો કે, ડેલ્ટાના મુકાબલે ઓમિક્રોનને ખૂબ જ હળવો વાયરસ ગણવામાં આવી રહ્યો છે પરંતુ તેના ફેલાવાને રફતાર વૈજ્ઞાનિકને પરેશાન કરી રહી છે. ત્યારે આ વચ્ચે WHOના ટેકનીકલ પ્રમુખ મારિયા વૈન કેર્ખોવ શુક્રવારે ઓમિક્રોનના ઝડપથી ફેલાવાના ત્રણ કારણો ગણાવ્યા છે.
ત્રણ કારણોસર ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન
કેર્ખોવે કહ્યું કે લોકોને વાયરસ પ્રત્યે જોખમ ઓછું કરવા અને તેના ટ્રાન્સમિશનને નિયંત્રિત કરવા મુદ્દે વિચારવાની જરૂર છે. ગત અઠવાડિયે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા જે તેની આગળના સપ્તાહની તુલનામાં 71 ટકા વધુ છે. વૈન કેર્ખોવે કહ્યું કે, નવો ઓમિક્રોન વેરિયન્ટ અનેક કારણોસર લોકોમાં ફેલાઈ રહ્યો છે.
WHOના નિષ્ણાંતનું મોટું નિવેદન
પ્રથમ તો નવા વેરિયન્ટના મ્યૂટેશન વાયરસને માનવ કોશિકાઓની સાથે જોડવામાં મદદ કરે છે. બીજું નવા વેરિયન્ટમાં ઈમ્યૂન સિસ્ટમથી બચી નીકળવાની ક્ષમતા છે. અંતે લોકોમાં રિઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. એટલે કે, પહેલા સંક્રમણનો શિકાર થઈ ચૂકેલ લોકો અથવા વેક્સિનેટ થયેલા લોકો માટે પણ બચવું અઘરું છે.
ત્રીજું કારણ જણાવતા કેર્ખોવે કહ્યું કે, ઓમિક્રોનમાં આપણે અપર રેસ્પિરેટરી ટેક્ટમાં વાયરસને રેપ્લીકેટ થતા જોઈ શકીએ છીએ, જે ડેલ્ટા અથવા છેલ્લા કોઇપણ વેરિયન્ટથી ખૂબ જ અલગ છે. કોરોનાના છેલ્લા તમામ સ્ટ્રેન ફેફસામાં લોવર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં રેપ્લીક્ટ થાય છે.
વેન્ટિલેશન વાળી જગ્યાનો વધુ ઉપયોગ કરવાની અપીલ
આ તમામ કારણો સિવાય, વાયરસ લોકોને વધુ પ્રમાણમાં હળવા-મળવાને કારણે ખૂબ જ ઝડપથી ફેલાય શકે છે. શરૂઆતથી જ એક્સપર્ટ્સ લોકો સારી વેન્ટિલેશન વાળી જગ્યાએ લોકોને રહેવા માટે અપીલ કરી રહ્યા છે. બંધ જગ્યાઓ પર રહેનાર વ્યક્તિઓમાં એકસાથે સંક્રમણ ફેલાવાનું જોખમ વધુ રહે છે.