કોવીડ-19 ના ઓમીક્રોન વેરીએન્ટ વેક્સીનના બંને ડોઝ લઇ ચુકેલા લોકોને પણ પોતાની લપેટમાં લઇ રહ્યો છે
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
ઓમીક્રોન વેરિએન્ટનો પણ વધ્યો છે કહેર
રસી લેવા છતાં પણ થાય છે સંક્રમણ
ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેમજ દરરોજ બે લાખ થી વધારે નવા મામલા દાખલ કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કોવીડ-19 ના ઓમીક્રોન વેરીએન્ટનાં કેસમાં પણ વધારો થઇ રહ્યો છે તથા વેક્સીનના બંને ડોઝ લઇ ચુકેલા લોકોને પણ પોતાની લપેટમાં લઇ રહ્યો છે.કોરોના વેક્સીનને મહામારી વિરુદ્ધ સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે, પરંતુ બંને ડોસ લઇ ચુકેલા લોકો પણ કોવિડ-19 થી સંક્રમિત થઇ રહ્યાં છે. જોકે વેક્સીને ગંભીર સંક્રમણોને રોકવામાં મદદ કરી છે.આની સાથે જ દવાખાનામાં ભરતી થવાના તથા મૃત્યુના જોખમોને પણ ઓછા કર્યાં છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનાં રીપોર્ટ અનુસાર, વિશેષજ્ઞોનું કહેવું છે કે વેક્સીન લગાવ્યા બાદ પ્રતિરક્ષા-બચાવ તંત્ર વિકસિત થાય છે, જે વાઇરસથી બચવમાં મદદ કરે છે. ત્યારે જ વેક્સીન ન લેવાવાળા લોકોમાં સંક્રમિત થવા તથા ગંભીર બીમારી વિકસિત થવાનો અધિક જોખમ રહે છે.
કેવો છે ઓમીક્રોન વેરીએન્ટ ?
જાણ થઇ છે કે કોવીડ-19નો ઓમીક્રોન વેરીએન્ટ ડેલ્ટાની તુલનામાં હલકો છે. ડોક્ટરોએ નોટ કર્યું છે કે અધીકાંશ સંક્રમિત રોગીઓમાં શરદી જેવાં લક્ષણ વિકસિત થાય છે તથા આપમેળે જ ઠીક થઇ જાય છે. ગાળામાં ખરાશ ઉપરાંત, ઓમીક્રોનના અમુક અન્ય લક્ષણોમાં થાક,તાવ , શરીરમાં દુખાવો, રાત્રે પરસેવો, છીંક, નાક વહેવું, મતલી તથા ભૂખ ના લાગવી શામેલ છે. ડેલ્ટા વેરીએન્ટથી વિપરીત, ઓમીક્રોનથી ગંધ કે સ્વાદ જવાની સંભાવના ઓછી છે.
કોરોના વેકસીનના બંને ડોઝ લઇ ચુકેલા લોકોમાં ઓમીક્રોનથી સંક્રમિત થયા બાદ ગાળામાં ખરાશની સમસ્યા જોવા મળે છે. શિકાગો ડીપાર્ટમેંટ ઓફ પબ્લિક હેલ્થ કમિશનર ડૉ. એલિસન અરવાડીનું કહેવું છે કે વેકસીનના બંને ડોસ લઇ ચુકેલા લોકોએ ગાળામાં ખારાશના કોઈ પણ લક્ષણને અવગણવું નહિ.
કેવી રીતે ઓળખશો ઓમીક્રોન વેરીએન્ટ ?
કોવીડ -19 ના સંક્રમણને ઓળખવા માટેનો સૌથી સટીક ઉપાય RT-PTR ટેસ્ટ છે. એટલા માટે જ જયારે તમારામાં આ લક્ષણ દેખાય તો જલ્દી જ તપાસ કરાવવી જોઈએ. જે લોકોમાં શરદીના લક્ષણ દેખાય છે, તેમને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે, એટલે સંક્રમણને વધવાથી રોકી શકાય. આની સાથે જ આ પણ સલાહ દેવામાં આવે છે કે જ્યાં સુધી રીપોર્ટ ન આવે અને એ કંફર્મ ન થાય કે આપ કોરોના સંક્રમિત નથી, ત્યાં સુધી ઘર પર જ રહો.
કોરોનાની ગાઇડલાઇનનું કરો પાલન
કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમીક્રોનના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું એ સૌથી સારો ઉપાય છે,કેમકે કોવીડ -19 નો નવો વેરીએન્ટ ઘણો વધારે સંક્રામક છે તથા સંપૂર્ણ રીતે ટીકાકરણવાળા લોકોને પણ પોતાની લપેટમાં લઇ રહ્યો છે. ઉપરાંત જે લોકોને પહેલા પણ કોરોના થઇ ચુક્યો છે, તેઓ પણ સંક્રમણથી ગ્રસ્ત થઇ શકે છે. એટલે કોરોના નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખો તથા ખુબ જ જરૂરી ના હોય તો પોતાની યાત્રાઓ પર રોક લગાવી દો.
કોવિડ-19નાં ટીકા SARs-COV-2 વાઈસના વિરુદ્ધ એક નિશ્ચિત સ્તરની સુરક્ષા પ્રદાન કરે છે. અધ્યયાનોને કારણે જાણ થઇ છે કે આંશિક તથા પૂરી રીતે ટીકાકરણવાળા વ્યક્તિઓમાં પણ સંક્રમણ થઇ શકે છે, પરંતુ કોરોના વેક્સીન લઇ ચુકેલા વ્યક્તિ જો સંક્રમિત થાય છે તો તે એસીમ્પ્તોમેટીક રહે છે કે પછી તેનેમાં હલકા લક્ષણ વિકસિત થાય છે.