કોરોના વાયરસની બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટે પૂરી દુનિયામાં ભારે કહેર મચાવ્યો હતો. હવે નવા વેરિયન્ટના આગમનથી સૌ કોઈ ચિંતત છે.
કોરોનાનો નવો વેરિયન્ટ સૌથી વધુ ખતરનાક છે
ઓમિક્રોન વેરિયન્ટ પર WHOએ ચેતવણી આપી
લોકોએ સાવધાન રહેવાની જરૂરત છે
સમગ્ર વિશ્વમાં ફરી એક વાર કોરોનાના નવા વેરિયન્ટે ખૌફ વધાર્યો
પૂરી દુનિયામાં ફરી એક વાર કોરોનાના નવા વેરિયન્ટનો ખૌફ વધતો જાય છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટને સૌથી ખતરનાક માનવામાં આવી રહ્યો હતો. પરંતુ નવા વેરિયન્ટ ઓમિક્રોનને ડેલ્ટાથી પણ વધુ સંક્રમિત જણાવામાં આવી રહ્યું છે. અત્યારસુધી મળેલા ડેટા અનુસાર WHOએ ઓમિક્રોન વેરિયન્ટને ઘણુ હાઈ રીસ્ક પર રાખવામાં આવ્યું છે. WHOના જણાવ્યા અનુસાર આ નવા વેરિયન્ટના મ્યુટેશનમાં ગંભીર પરિણામ દેખવા મળી રહ્યાં છે.
ઓમિક્રોન વેરિયન્ટની સૌથી પહેલી ઓળખ દક્ષિણ આફ્રિકા થઈ હતી
ઓમિક્રોન વેરિયન્ટની સૌથી પહેલી ઓળખ દક્ષિણ આફ્રિકાના શોધકર્તાઓએ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થય એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ઓમિક્રોન વેરિયન્ટ પર WHOએ એક મજબૂત અને સ્પષ્ટ ચેતવણી માનવામાં આવી છે. બીજી તરફ વૈજ્ઞાનિક આ વાતની શોધમાં લાગી ગયાં છે કે, નવા વેરિયન્ટના લોકો માટે કેટલાો ખતરનાક સાબિત થઈ શકે છે.
“There have been as many plagues as wars in history, yet always plagues & wars take people equally by surprise.”
Omicron’s emergence remind us of how perilous & precarious our situation is. We should be wide awake to the threat of this virus. #WHASpecialhttps://t.co/QHvdd6SoGJpic.twitter.com/lSougJ0gts
વિશ્વ સ્વાસ્થ સંગઠન અનુસાર ઓમિક્રોન વેરિયન્ટને લઈને હજુ કંઈ સ્પષ્ટ નથી કહ્યું , પરંતુ પ્રારંભિક રૂપે આ વાતની સંભાવના વધારે છે કે, આ વેરિયન્ટમાં એવા મ્યુટેશન છે કે, જે ઈમ્યુન સિસ્ટમના રિસપોન્સથી બચી શકે છે. અને એક થી બીજા વ્યક્તિમાં આને ફેલાવવાની ક્ષમતાને વધારી શકે છે. WHOનું કહેવું છે કે, આ મ્યુટેશનના આધારે કહી શકાય કે, તેની ભવિષ્યમાં કોવીડ-19ના મામલાઓમાં ઉછાળ આવી શકે છે. અને આના ગંભીર પરિણામ પણ હોઈ શકે છે. આ ઘણી વાતો પર નિર્ભર કરે છે કે, જેવા કે, કઈ જગ્યા પર આના કેસો વધી રહ્યાં છે. બધુ મળીને પૂરી દુનિયાના હાલ રીસ્ક પર છે
WHOનું કહેવું છે કે, ભલે વૈજ્ઞાનિકો હજી આ વેરિયન્ટને સારી રીતે સમજવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ તમામ દેશોને સૌથી વધુ વેક્સિનેશનને અગ્રમીતા આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિયન્ટથી હજી સુધી કોઈ મોતના કેસ સામે નથી આવ્યો. આ કેટલું સક્રમિત છે, બીમારી કેટલી ગંભીર કરી શકે છે. અને વેક્સિન કેટલી કારગર નીવળી શકે છે તેઅંગે હજુ વૈજ્ઞાનિકો જાણકારી મેળવી રહ્યાં છે.