Health News:ઓમિક્રોન કોવિડનો એવો વેરિયંટ છે કે જે વેક્સીન કે પછી પહેલા થયેલા ઈન્ફેકશનને કારણે મળેલી એન્ટીબોડીઝને ચકમો દેવામાં સક્ષમ છે. ચાલો જાણીએ કઈ રીતે.
શા માટે ઓમિક્રોન વેરિયંટથી થઇ શકાય છે એકથી વધારે વાર સંક્રમિત?
ડેલ્ટા વેરિયંટથી એકથી વધારે વાર સંક્રમિત થવાના મામલાઓ સામે આવ્યા હતા.
જાણો ઓમિક્રોનથી બચવાના ઉપાયો
Covid 19: દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસના મામલાઓ સતત વધી રહ્યાં છે. જેને કારણે કોરોનાનો નવો વેરિયંટ ઓમિક્રોન પણ સામે આવી ગયો છે. ઓમિક્રોન કોવિડનો એવો વેરિયંટ છે જે વેક્સીન તથા પહેલા થયેલા ઇન્ફેકશનને કારણે મળેલી એન્ટીબોડીઝને ચકમો દેવામાં સક્ષમ છે. આ પહેલા ઘણાં એવા મામલાઓ સામે આવ્યા છે જેમાં જોવામાં આવ્યું છે કે એક જ વ્યક્તિ બે વાર ડેલ્ટા વેરિયંટની લપેટમાં આવી ચુક્યો છે. પણ શું ઓમિક્રોન પણ એક જ વ્યક્તિને બે વાર સંક્રમિત કરી શકે છે? ચાલો જાણીએ.
શું ઓમિક્રોન વેરિયંટથી બે વાર સંક્રમિત થઇ શકાય છે?
એક વ્યક્તિ બીજી વખત કોવિડથી સંક્રમિત થઇ શકે છે, પરંતુ ઓમીક્રોનના આવાં મામલાઓ હજી સુધી સામે આવ્યા નથી. પરંતુ ઓમિક્રોનમાં બીજી વાર સંક્રમણનું જોખમ ડેલ્ટા વેરિયંટની તુલનામાં 4 ગણું વધારે છે. ઓમિક્રોન બીજી વાર સંક્રમણનું કારણ બને છે, કેમકે તેમાં એન્ટિબોડીને ચકમો આપવાની ક્ષમતા હોય છે. જેનો અર્થ એ છે કે જે લોકોને પહેલા સંક્રમણ થયું હતું તથા તેમની પાસે એન્ટીબોડીઝ હતી કે તેમણે ટીકો લગાવ્યો હતો, તે લોકોને પણ ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે. જણાવી દઈએ કે ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીન પર 30 થી અધિક ઉત્પરિવર્તન હોય છે જે તેને પ્રતિરક્ષાથી બચવામાં મદદ કરે છે. એટલા માટે આ તે લોકોને પણ સંક્રમિત કરે છે જેમણે પહેલા એન્ટીબોડીઝ લીધી હોય.
ઓમિક્રોનથી બચવાના ઉપાયો:
વગર કારણે ઘરની બહાર નીકળવું નહિ.
ઘરની બહાર નીકળવા પર ડબલ માસ્ક પહેરવું.
હાથ વારંવાર સેનેટાઈઝ કરવા. જમતા પહેલા હાથ સારી રીતે સાબુથી ધોવા.
હાથથી મોં, આંખોને અડવાથી બચવું.