બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 AM, 11 December 2021
ADVERTISEMENT
ગત 24 કલાકમાં મુંબઈમાં ઓમિક્રોનના 7 મામલા સામે આવ્યા છે
દેશમાં એક વાર ફરી કોરોનાનો ઓમિક્રોન ચિંતા વધારી રહ્યો છે. ત્યારે ફરી એક વાર મહારાષ્ટ્ર પર કોરોનાની ત્રીજી લહેર હાવી થતી જોવા મળી રહી છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 32 કેસ સામે આવ્યા છે. જેમાંથી 17 કેસ મહારાષ્ટ્રના છે. ગત 24 કલાકમાં મુંબઈમાં ઓમિક્રોનના 7 મામલા સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુંસાર ઓમિક્રોનના સંકટને જોતા મુંબઈમાં 2 દિવસ સુધી કોઈ મોટી સભા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, વાહનો રેલીઓ અને વિરોધ મોર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
.jpg)
ADVERTISEMENT
આ પ્રતિબંધ શનિવારે અને રવિવારે 48 કલાક સુધી અમલમાં રહેશે
પોલીસના ઉપાયુક્ત દ્વારા જારી આદેશ મુજબ આ પ્રતિબંધ શનિવારે અને રવિવારે 48 કલાક સુધી અમલમાં રહેશે. તેમણે કહ્યું કે જે રીતે કોરોના સંક્રમણનો નવો વેરિએન્ટ દર્દીમાં મળી રહ્યો છે. તેને રોકવા અમરાવતી, માલેગાંવ અને નાંદેડ માં થયેલી હિંસાને ધ્યાનમાં રાખી કાયદા વ્યવસ્તા બનાવવાના હેતુંથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સાડા 3 વર્ષની બાળકીમાં પણ ઓમિક્રોન સંક્રમણ જોવા મળ્યું હતુ.
ADVERTISEMENT

ધારાવીમાં જોવા મળેલ કેસમાં વ્યક્તિ તાન્ઝાનિયાથી પરત આવ્યો હતો
ADVERTISEMENT
આ દેશનો અત્યાર સુધીનો 32 મો ઓમિક્રૉનનો કેસ છે જેમાં શખ્સનો કેસ પોઝિટિવ આવ્યો છે અને તે ચેન્નાઈનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક વર્ષથી ધારાવીમાં રહે છે. આ વ્યક્તિ 4 ડિસેમ્બરે ટાન્ઝાનિયાથી પાછો આવ્યો છે. એરપોર્ટ પર બે ટકા સેમ્પલના ભાગરૂપે RTPCR ટેસ્ટ માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતાં કારણ કે તાન્ઝાનિયા એટ રિસ્ક દેશોની કેટેગરીમાં શામેલ નથી. આ વ્યક્તિને રિઝલ્ટ આવવા સુધી એરપોર્ટ પર જ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. રાત્રે તે ધારાવી રવાના થયો હતો પરંતુ એ દરમિયાન તેનો RTPCR પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ મેડિકલ ટીમ દ્વારા તેને અને સાથે બે લોકોને ટ્રેક કરવામાં આવ્યા હતા અને તેમણે બીજા લોકો સાથે મળતા અટકાવવામાં આવ્યા હતા. આ વ્યક્તિએ રસીનો એક પણ ડોઝ નથી લીધો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.