આજકાલ લગભગ બધા નાઇટી પહેરે છે. ઘણા લોકો રાત્રે તો ઠીક પણ દિવશે પણ નાઇટી પહેરીને ફરતા હોય છે. આજે અમે તમને જણાવશું એક એવા ગામ વિશે જ્યાં દિવશે નાઇટી પહેરવા પર ટેક્ષ લાગે છે.
તમને જણાવી દઇએ કે પાછલા 9 મહિનાથી આંધ્રપ્રદેશના ગોદાવરી જીલ્લાના તોકાલાપલ્લી ગામમાં મહિલાઓએ દિવશે નાઇટી પહેરવાનું બંધ કરી દીધું છે. નાઇટી પહેરવા પર ટેક્ષ લાગવાનું કારણ બીજુ કાંઇ નહીં પણ ગામના જ વડિલો છે. વડિલોનુ માનવું છે. કે નાઇટી માત્ર રાત્રે પહેરવા માટે હોય છે. જેથી તેને દિવશે પહેરવાથી ગુનો લાગશે અને ટેક્ષ ભરવો પડશે.
આ ગામમાં 9 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. ગામની 1800 મહિલાઓમાંથી કોઇપણ તેમના આદેશનું ઉલ્લઘન ન કરે. જો કોઇ મહિલા સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નાઇટી પહેરેલી જોવા મળશે તો તેને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આ ઉપરાંત કોઇ આદેશનું ઉલ્લઘન કરનાર વિશે જાણકારી આપશે તો તેને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ ગામનો યુવા વર્ગનું કહેવું છે કે વડિલોનું એમ કહેવું છે કે જો કોઇ આ આદેશ માનવા તૈયાર નહીં હોય તો તેને સમાજમાંથી બહાર મૂકવામાં આવશે અને વડિલોઓ તેવી પણ ધમકી આપી છે કે કોઇ આ વાત વિશે કોઇ અધિકારીને જણાવશે તો તેને પણ સમાજથી બહાર મૂકવામાં આવશે.