ટિપ્પણીઓઃ
દૂતાવાસે ટ્વિટ કરીને કહ્યું કે, 'ભારત સરકાર એક મિત્ર દેશ દ્વારા દેખાડવામાં આવેલ આ કરૂણા ભાવનાની સરાહના કરે છે.' વિશ્વભરમાં ગયા સપ્તાહે ઇદ મનાવવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ ઓમાને અન્ય દેશોનાં નાગરિકો સહિત અનેક ભારતીય કેદીઓને આઝાદ કર્યા છે. ત્યાં 2012માં 44 ભારતીયોને જેલમાંથી આઝાદ કર્યા હતાં. આ પ્રકારે 2014માં 304 અને 2015માં 432 કેદીઓને આઝાદ કરી દેવામાં આવ્યા હતાં.
ભારત અને ઓમાન વચ્ચેનો સંબંધઃ
ભારત અને ઓમાનનાં જૂના સંબંધ છે પરંતુ વચ્ચે બંને દેશોનાં સંબંધોનાં ગરમાવામાં ઉણપ જોવા મળી હતી પરંતુ આ પગલાથી બંને દેશોનાં સંબંધ મજબૂત થતા જોવા મળી રહ્યાં છે. બંને દેશોની વચ્ચે જૂના અને ઐતિહાસિક વેપારો વચ્ચે પણ છે.
1970થી ભારત અને ઓમાનની વચ્ચે સતત કૂટનીતિક, રાજનીતિક, વેપાર અને નૌસૈનિક સહયોગ શરૂ રહ્યો છે.
ઓમાન જઇ ચૂક્યાં છે પાંચ ભારતીય પ્રધાનમંત્રીઃ
1985માં રાજીવ ગાંધી
1993માં પીવી નરસિમ્હા રાવ
1998માં અટલ બિહારી વાજપેયી
2008માં મનમોહનસિંહ
2018માં નરન્દ્ર મોદી