યૂએઈ બાદ ઓમાનની રાજકુમારી પૈરોડી એકાઉન્ટથી કરવામાં આવેલ ટ્વિટ વાયરલ થયું છે. બે દિવસ પહેલા જ રાજકુમારીએ યૂએઈમાં રહેતા ભારતીયોની મુસ્લિમો વિરોધી પોસ્ટને લઇને નારાજગી વ્યક્ત કરી હતી અને કડક કાર્યવાહીની વાત કરી હતી. તો બીજી તરફ ખાડી દેશોની નારાજગીને લઇને પાકિસ્તાન ખુશ નજરે પડી રહ્યું છે.
જોકે, તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચે જૂની મિત્રતા છે અને કેટલાક કટ્ટરપંથીઓના કારણે આના પર અસર નહીં પડે. આ સમગ્ર વિવાદ શાંત થતા જ તેના પહેલા ઓમાનની રાજકુમારીના નામથી બનાવવામાં આવેલ પૈરોડી એકાઉન્ટથી ભારતમાં મુસ્લિમોના ઉત્પીડન વિરૂદ્ધ ચેતવણી આપવામાં આવી.
ઓમાનની રાજકુમારી ટ્વિટર પર નથી. ઓમાનની રાજકુમારી મોના બિંત ફહદ અલ સૈદ નામથી બનાવવામાં આવેલ ફર્જી એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું, ઓમાન ભારતમાં પોતાના મુસ્લિમ ભાઇઓ અને બહેનો સાથે છે. જો ભારત સરકાર મુસ્લિમોનું ઉત્પીડન નહીં રોકે તો ઓમાનમાં રહેતા 10 લાખ ભારતીયોને કાઢી મુકશે. હું નિશ્ચિત રીતે આ મુદ્દાને ઓમાનના સુલ્તાનની સામે ઉઠાવીશ.
આરએસએસ પર પણ પ્રહારો કર્યા હતા
રાજકુમારીના નામથી ચાલનારા આ ફર્જી એકાઉન્ટથી આરએસએસ પર પણ પ્રહાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં આ ટ્વિટને લઇને ઓમાનના વખાણ શરૂ થઇ ગયા. આ પહેલા, યૂએઈની રાજકુમારીએ પણ ત્યાં રહેતા ભારતીઓને ચેતવણી આપી હતી કે મુસ્લિમો વિરૂદ્ધ ભેદભાવ કરનારા લોકો વિરૂદ્ધ દંડ લગાવવામાં આવશે અને દેશની બહાર કાઢી મુકવામાં આવશે. યૂએઈની રાજકુમારીએ સૌરભ ઉપાધ્યાય નામના એક ભારતીય વ્યક્તિના મુસ્લિમ વિરોધી ટ્વિટના સ્ક્રીનશૉટ્સ શેર કર્યા હતા.
શાહી પરિવારના ભારતીયો મિત્ર જરૂર પરંતુ...
યૂએઈની રાજકુમારીએ કહ્યું હતું કે યૂએઈનો શાહી પરિવાર ભારતીયોનો મિત્ર જરૂર છે પરંતુ આ પ્રકારના વલણને સ્વીકારી નહીં લેવાય. અહીં પર આવનાર દરેક વ્યક્તિને કામના બદલે પૈસા મળે છે, કોઈ પણ મફતમાં અહીં નથી આવ્યું. આ દેશની ધરતીથી તમે પોતાની રોજીરોટી કમાઓ છો, જો તમે આની મજાક ઉડાવો છો તો એ ન વિચારો કે તમારા પર કોઈનું ધ્યાન નહીં જાય.
મેં પ્રેમના રસ્તે ચાલવાનો નિર્ણય કર્યોઃ રાજકુમારી
યૂએઈની રાજકુમારી બાદમાં ભારત પાસેથી યૂએઈની જૂની મિત્રતાનો હવાલો આપ્યો. તેમણે ટ્વિટ કર્યું, મે પ્રેમના રસ્તે જ ચાલવાનો નિર્ણય કર્યો છે, નફરતનો ભાર સહન કરવો મુશ્કેલ છે. સમયની સાથે અમને અનુભવ થાય છે કે જે નફરત કરે છે, નફરત એને જ નુકસાન પહોંચાડે છે. આપણે આપણા મનના દ્વેષને ખતમ કરવો પડશે અને પોતાના વચ્ચેના મતભેદોને સ્વીકારવા પડશે.
મોદીના પીએમ બન્યા બાદ ખાડીના દેશ સાથે સંબંધો વધ્યા
ખાડી દેશોમાં ભારતીય કારીગરો મોટી સંખ્યામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ સાઉદી, યૂએઈ સહિત ખાડીના તમામ દેશોની સાથે ભારતના નજીક સંબંધો વધ્યા છે. ત્યાં સધી કે જ્યારે મોદી સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યો તે તમામ ખાડી દેશોએ ભારતને જ પોતાનું સમર્થન આપ્યું.
મુસ્લિમો માટે ભારત જન્નત છેઃ નકવી
જોકે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાની કેટલીક પોસ્ટમાં કોરોના વાયરસના સંક્રમણ માટે તબલીગી જમાતના કાર્યક્રમો અને મુસ્લિમ સમુદાયને જવાબદાર ગણવવામાં આવવા લાગ્યા તો ઇસ્લામિત સહયોગ સંગઠન સહિત કેટલાક મુસ્લિમ દેશોએ આની નિંદા કરી. આ વિવાદ વચ્ચે, ભારતના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન આપ્યું કે ભારત મુસ્લિમો માટે જન્નત છે અને તેમને જીવવાનો અધિકાર સમગ્ર રીતે સુરક્ષિત છે. યૂએઈમાં ભારતના રાજદૂત પવન કપૂરે પણ ભારતીયોને કડક ટકોર કરતા કહ્યું કે કોઈ પણ આધાર પર લોકોમાં ભેદભાવ કરવો બન્ને દેશોની મુળ પ્રકૃતિ વિરૂદ્ધ છે.
પાકિસ્તાન ખુશ નજરે પડ્યું
ત્યારે ખાડી દેશોથી આવી રહેલ કડક પ્રતિક્રિયાઓને લઇને પાકિસ્તાન ખુશ નજરે પડી રહ્યુ છે. પાકિસ્તાની મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીયોને મુસ્લિમો પ્રત્યે નફરતના કારણે ખાડી દેશોની સાથે ભારતના સંબંધો જોખમમાં મુકાયા છે.