પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકવાદીઓ સામે રોષ ફેલાયો છે. જ્યાં એક તરફ સેના આતંકીઓને જડબાતોડ જવાબ આપવા વ્યૂહ ઘડી રહી છે ત્યાં બીજી તરફ દેશવાસીઓ વિવિધ રીતે પાકિસ્તાન અને આતંકીઓ સામે પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે. કોઈ પૂતળા બાળ છે તો કોઈ પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના કોલીખડ ગામના લોકોએ પણ રાજકીય નેતાઓની પ્રવેશબંધી ફરમાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. જોઈએ આ અહેવાલ.
પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તેમાં જવાનો શહીદ થયા બાદ સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. દેશના નાગરિકો જુદી જુદી રીતે પોતાનો રોષ પ્રકટ કરી રહ્યા છે. મોરબીના દેશપ્રેમી ટાઈલ્સ ઉત્પાદકોના નવતર વિરોધ પ્રદર્શનનું છે મોરબીના ટાઈલ્સ ઉત્પાદકોએ પોતાના બિઝનેસના માધ્યમથી જ પાકિસ્તાન સામે આક્રોશ ઠાલવવાનો પ્રયત્ન કર્યો છે.
મોરબીના આ સીરામિક એકમે તેના પોતાના કારખાનામાં પાકિસ્તાનના ઝંડાની પ્રિન્ટ વાળી ટાઈલ્સ બનાવી છે અને તેની નીચે પાકિસ્તાન મુર્દાબાદ એવું સૂત્ર લખવામાં આવ્યું છે. આ ટાઈલ્સને નગરનાં તમામ જાહેર શૌચાલયોમાં લગાવવામાં આવશે. જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના નાગરિકોનો રોષ દર્શાવી રહ્યું છે. કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા જવાનોની શહાદતના વિરોધમાં કોલીખડ ગામના લોકો દ્વારા ગામમાં કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે.
પુલવામામાં થયેલા આતંકી હુમલા અને તેમાં જવાનો શહીદ થયા બાદ સ મગ્રદેશવાસીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. દેશના નાગરિકો જુદી જુદી રીતે પોતાનો રોષ પ્રકટ કરી રહ્યા છે. નેતાઓ જડબાતોડ જબાવ આપવાનો વ્યૂહ ઘડી રહ્યા છે. તો સરહદ પર તહેનાત જવાનો દુશ્મન દેશ પર વળતો પ્રહાર કરવા આદેશની રાહ જોઈ રહ્યા છે. ટૂંકમાં દેશ અને દેશની સરહદો પર એમ બન્ને જગ્યાએ બદલાની ભાવનાનો શોર સંભળાઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આતંકવાદ સામે કડક હાથે કાર્યવાહી કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ દેશના લોકો કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ આ આતંકવાદી ઘટના બાદ રાજકીય પક્ષો દ્વારા શહીદોની શહાદત ઉપર રાજનીતિ કરાઈ રહી છે જેના કારણે લોકોમાં રાજનેતાઓ પ્રત્યે પણ રોષ વ્યાપ્યો.
છે ત્યારે આ રાજનીતિના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખદ ગામના ગ્રામજનો અને યુવાનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ગ્રામજનો દ્વારા પોતાના ગામમાં રાજકીય નેતાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દઈને ગામમાં કોઈપણ પક્ષના રાજકીય નેતાઓ પ્રવેશ કરવો નહિ તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે. એટલું નહીં શહીદોએ આપેલા બલિદાન વ્યર્થ ન જાય તે માટે આતંકવાદ સામે કડક પગલા લેવાની માંગ કરી છે. એટલું જ નહીં તમામ રાજકીય નેતાઓએ પક્ષા-પક્ષીથી દૂર રહી આતંકવાદ સામે કડક હાથે કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી છે.
દેશ પર થયેલા આતંકી હુમલા સામે દેશમાં કેટલો આક્રોશ છે, તેનો માપદંડ આ દ્રશ્યો પરથી આંકી શકાય છે. માત્ર સરકાર અને સૈનિકો જ નહીં પરંતુ આ દેશના એક એક નાગરિકો પણ દેશના દુશ્મનો સામે બદલાની ભાવના ઝંખી રહ્યું છે. કદાચ દેશદાઝની આ જ ભાવના દેશને અડીખમ બનાવી રાખે છે. બાકી યુદ્ધ એ જ કલ્યાણ હશે તો વધારે રાહ જોવી નહી પડે.