અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આરોગ્ય વિભાગના અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દાળવડા દુકાનના માલિકે આરોગ્ય વિભાગના અધિકારી પર હુમલો કર્યો હતો અને આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે આ ઘટનામાં અધિકારીનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગના અધિકારીઓ વસ્ત્રાલમાં આવેલા શ્રીજી દાળવડાની દુકાનમાં તપાસ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન દુકાન માલિકે ઉકળતુ તેલ નાખતા અધિકારી ખસી જતા તેલ નીચે જમીન પર ઢોળાયું હતુ.
તમને જણાવી દઇએ કે, આરોગ્ય વિભાગના અધિકારી પોતાની પ્રાથમિક તપાસ માટે વસ્ત્રાલમાં આવેલા શ્રીજી દાળવડાની દુકાનમાં પહોચ્યા તો, ઉશ્કેરાઇને દુકાનદારે ઉકળતું તેલ અધિકરી ઉપર ફેક્યું હતું, જોકે અધિકારી ખસી જતાં તેલ જમીન પર ઢોળાયું હતું. ત્યારબાદ દુકાનદાર અને અધિકારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. અધિકારીએ પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.