દેશમાં અનેક રાજ્યોનાં વિરોધ વચ્ચે NPRની કામગીરી શરુ કરવામાં આવશે. જેના માટે તૈયારીઓ થઈ ગઈ છે. 1 એેપ્રિલથી નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હેઠળ નાગરિકોના ડેટા બેઝ તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ત્રણ વ્યક્તિની નોંધણી NPRમાં સૌથી પહેલા કરવામાં આવશે.
સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું થશે નામાંકન
ઉપરાષ્ટ્રપતિ નાયડૂ, PM મોદીનું નામ NPRમાં સમાવાશે
ORGIએ રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ અને PMને લખ્યો પત્ર
1 એપ્રિલથી શરૂ થશે NPRની પ્રક્રિયા
1 એપ્રિલથી NPRનો ડેટા અપગ્રેટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દેશના પહેલા નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નોંધણી સૌથી પહેલા કરવામાં આવશે. આ બાદ ઉપરાષ્ટ્રપતિ વેંક્યા નાયડૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની NPRની યાદીમાં નોંધણી કરવામાં આવશે. નોંધણી માટે ભારત રજિસ્ટ્રેશન જનરલ ઓફિસ(ORGI)એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને અનુકુળ સમય અંગે માંગણી કરતો પત્ર મોકલ્યો છે.
ઉપરાષ્ટ્રપતિ નાયડૂ, PM મોદીનું નામ NPRમાં સમાવાશે
ORGI નોંધણી પહેલા દિવસે 3 મહત્વના પદાધિકારીઓની નોંધણી કરશે એવી સંભાવના સેવાઈ રહી છે. રાષ્ટ્રપતિની નોંધણી ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, વસ્તી ગણતરી આયુક્ત અને વસ્તી ગણતરી સંયાલન ડાયરેક્ટરની હાજરીમાં દિલ્હીમાં થઈ શકે છે. આજ ટીમ દિલ્હીમાં પીએમ અને વાઈસ પ્રેસિડન્ટની પણ ગણતરી જોશે. આ ત્રણેયના નિવાસ સ્થાન નવી દિલ્હી નગર નિગમ અંતર્ગત આવે છે.
NPR માટે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી થશે કામગીરી
NPR હેઠળ 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી નાગરિકોનો ડેટા બેઝ તૈયાર કરવા દેશભરમાં ઘરે ઘરે જઈને જનગણના કરવાની તૈયારી છે. NPR એટલે નેશનલ પોપ્યલેશન રજિસ્ટર . જેમાં લોકોના આંકની સાથે તેમનો બાયોમેટ્રીક ડેટા હશે.
આ સરકારે 2010માં NPR બનાવવાની પહેલ કરી હતી
ઉલ્લેખનીય છે તે વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકારે 2010માં NPR બનાવવાની પહેલ કરી હતી. ત્યારે 2011માં વસ્તી ગણતરીનું કામ શરુ થયું હતું. હવે ફરી 2021માં આ કામ થઈ રહ્યું છે. NPRનો હેતું જો કોઈ બહારના દેશનો નાગરકિત જે મુસ્લિમ નથી તે 6 મહિનાથી દેશના કોઈ ભાગમાં વસવાટ કરી રહ્યો છે. તો તેને પણ એનપીઆરમાં સમાવાશે. NPRના માધ્યમથી બાયો મેટ્રિક ડેટા તૈયાર કરી સરકારી લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચાડવાનો પણ છે.