નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇને જાહેરનામું, 24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી, ચાઇનીઝ તુકલ પર પ્રતિબંધ
25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરને લઈને જાહેરનામું
24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે બહાર પાડ્યું જાહેરનામું
ગુજરાતમાં નાતાલના તહેવાર અને 31 ડિસેમ્બરે એટલે ન્યુ યરની રાત્રિની ઉજવણી લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમદાવાદીઓને નીચે મુજબના નિયમો પાળવા અતિ જરૂરી છે.
નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદના કમિશ્નર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું બહાર પાડતા કહ્યું છે કે 24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી છે એ સમય સિવાય જો કોઈ ફટાકડા ફોડશે તો પોલીસ કાર્યવાહી કરશે સાથે જ ઉજવણીમાં ચાઇનીઝ તુકલ અને અને આતિષબાજી બલુન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લાગુ પડશે.
વડદોરા કમિશનરે પણ બહાર પાડ્યું જાહેરનામું
વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુક્યો છે.21 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે...કોરોના મહામારી અને તહેવારોના પગલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.તો જાહેર સ્થળો પર સભા, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો
ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
રાજપથ, કર્ણાવતી સહિતના કલબોનો મોટો નિર્ણય
2021નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. ઓમિક્રૉનના આતંક વચ્ચે અમદાવાદમાં ક્લબોમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન નહીં થાય.સતત બીજા વર્ષે નહીં થાય 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન મોકૂફ રાખવાનું નક્કી થયું છે. રાજપથ, કર્ણાવતી સહિતની અમદાવાદની કલબોમાં થર્ટી ફસ્ટ પાર્ટીનું આયોજન નહીં કરે. વધતા કોરોના સંક્રમણને લઇ ક્લબ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે