દેશ અને દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત તબાહી મચાવી રહ્યું છે. આવી સ્થિતિમાં તેના કેટલાક નવા વેરિયન્ટ તેમજ નવા કોવિડ લક્ષણો સામે આવી રહ્યા છે.
કોરોના વાયરસના સામે આવી છે કેટલાક નવા વેરિયન્ટ તેમજ લક્ષણો
દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,30,27,621 થઈ
દેશમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુઅંક વધીને 4,40,752 થઈ ગયો
કોરોના મહામારી (કોવિડ 19) ની વચ્ચે હવે વાયરલ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. અગાઉ તાવ અને ગળામાં દુખાવો જેવા લક્ષણોનો અર્થ શરદી, ફ્લૂ અથવા એલર્જી હતું. તાજેતરના કેસો દર્શાવે છે કે કોવિડ વેક્સિન લીધેલા લોકોમાં કોરોના વાયરસના લક્ષણો પણ જોવા મળે છે.
દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,30,27,621 થઈ
ભારતમાં એક દિવસમાં કોવિડ -19 ના 38,948 નવા કેસ નોંધાયા બાદ, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,30,27,621 થઈ ગઈ છે. સંક્રમણના કારણે 219 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,40,752 થઈ ગયો છે. છેલ્લા 167 દિવસમાં સંક્રમણના કારણે મૃત્યુના આ સૌથી ઓછા કેસ છે અને 48 દિવસ બાદ, કોવિડ -19 નો મૃત્યુ દર પણ ઘટીને 1.33 ટકા થઈ ગયો છે. આંકડા અનુસાર, દેશમાં 23 માર્ચે એક જ દિવસમાં 199 લોકો કોવિડ -19થી મૃત્યુ પામ્યા હતા.
કોરોના વાયરસના લક્ષણો:-
સામાન્ય લક્ષણ:
તાવ
સુખી ખાંસી
થાક
અન્ય લક્ષણ:
દુખાવો
ગાળામાં ખરાશ
ડાએરિયા
આંખમાં તકલીફ
માથાનો દુખાવો
સ્વાદ ન આવવું
ગંભીર લક્ષણ:
શ્વાસ લેવામાં તકલીફ થવી
છાતીનો દુખાવો
બોલવામાં મુશ્કેલી
નવા લક્ષણ:
ઓછું સંભળાવું
ઊલટી થવી
સ્કીન પર ફોલ્લીઓ થવી
આંગળીઓનો કલર બદલાવવો