ગુજરાત સરકાર દ્વારા વધુ એક પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમા મંત્રીઓની જેમ તેમના PA અને PS માટે પણ નો રિપીટ થિયરી લાગૂ કરવામાં આવી છે.
મંત્રીઓના અધિકારીઓ માટે પણ નો રિપીટ થિયરી
નવા અધિકારીને નિમણૂંક આપવાનો આગ્રહ
વિવાદીત અધિકારીઓ ફરીથી રિપીટ નહી થાય
ગુજરાતનું નવું મંત્રીમંડળ નો- રિપીટ થિયરી પર આધારીત જોવા મળ્યું. ત્યારે હવે સરકારના મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ મો-રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. પૂર્વ મંત્રીઓના ત્યા PA તેમજ PS રહી ચૂકેલા અધિકારીઓને હવે ફરીથી સ્થાન આપવામાં નહી આવે જેના કારણે જૂના અધિકારીઓને મોટો ઝટકો લાગ્યો છે.
છબી ખર઼ાઈ હોય તેવા અધિકારી રિપીટ નહી થાય
ગુજરાત સરકાર દ્વારા નવા અધિકારીઓનેજ નિમણૂંક આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને વિવાદીત અધિકારીઓ રિપીટ થશેજ નહી એટલે કે ભૂતકાળમાં જેની છબી ખરડાઈ હોય તેવા અધિકારીઓ રિપીટ નહી થઈ શકે. આ નિર્ણયને લઈને મોટા ભાગના જૂના અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
રિપીટ કરતા પહેલા CMની મંજૂરી લેવી જરૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોઈ પણ મંત્રીને ફરી રિપીટ કરવામાં નથી આવ્યા સાથેજ વિવાદીત મંત્રીઓને પણ મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેવીજ થિયરી હવે અધિકારીઓ માટે લાગૂ કરવામાં આવી છે. જે પણ અધિકારીઓએ ધારાસભ્ય અને કાર્યકરનું માન નહી જાળવ્યું હોય તેવા PA અને PSને પણ હવે રિપીટ કરવામાં નહી આવે. જો કોઈને પણ રિપીટ કરવા હશે તો તેના માટે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડશે.
ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીમંડળની રચના તે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવી છે. ભાજપ દ્વારા હવે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજ કારણોસર રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પણ કરવામાં આવ્યું છે.