બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ગુજરાતનું નવું મંત્રીમંડળ નો- રિપીટ થિયરી પર આધારીત જોવા મળ્યું. ત્યારે હવે સરકારના મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ મો-રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. પૂર્વ મંત્રીઓના ત્યા PA તેમજ PS રહી ચૂકેલા અધિકારીઓને હવે ફરીથી સ્થાન આપવામાં નહી આવે જેના કારણે જૂના અધિકારીઓને મોટો ઝટકો લાગ્યો છે.
.jpg)
ADVERTISEMENT
છબી ખર઼ાઈ હોય તેવા અધિકારી રિપીટ નહી થાય
ગુજરાત સરકાર દ્વારા નવા અધિકારીઓનેજ નિમણૂંક આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને વિવાદીત અધિકારીઓ રિપીટ થશેજ નહી એટલે કે ભૂતકાળમાં જેની છબી ખરડાઈ હોય તેવા અધિકારીઓ રિપીટ નહી થઈ શકે. આ નિર્ણયને લઈને મોટા ભાગના જૂના અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
ADVERTISEMENT
.jpg)
રિપીટ કરતા પહેલા CMની મંજૂરી લેવી જરૂરી
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોઈ પણ મંત્રીને ફરી રિપીટ કરવામાં નથી આવ્યા સાથેજ વિવાદીત મંત્રીઓને પણ મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેવીજ થિયરી હવે અધિકારીઓ માટે લાગૂ કરવામાં આવી છે. જે પણ અધિકારીઓએ ધારાસભ્ય અને કાર્યકરનું માન નહી જાળવ્યું હોય તેવા PA અને PSને પણ હવે રિપીટ કરવામાં નહી આવે. જો કોઈને પણ રિપીટ કરવા હશે તો તેના માટે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડશે.
.jpg)
ADVERTISEMENT
ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીમંડળની રચના તે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવી છે. ભાજપ દ્વારા હવે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજ કારણોસર રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પણ કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.