નવરાત્રીને લઇને રાજ્યમાં પોલીસ કડક હાથે કામ લેશે. જેને લઇને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નિયમોનું કડક પાલન કરવામાં આવશે. જેમાં પાર્કિંગ અને ફાયર સેફ્ટી નહીં હોય તેવા આયોજકોને ગરબાની મંજૂરી નહીં મળે.આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ઇમરજન્સી સેવા રાખવા સૂચના અપાઇ છે.