ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ભારતના 149 જિલ્લા એવા છે જ્યાં એક સપ્તાહમાં એક પણ સામે આવ્યો નથી.
ભારતમાં રેકોર્ડબ્રેક કેસ, બીજી લહેર બની ઘાતકી
149 જિલ્લામાં એક સપ્તાહથી એક પણ કેસ નહીં
ભારતમાં રિકવરી રેટ ઘટ્યો, ડેથ રેટ વધ્યો
સ્વાસ્થ્યમંત્રીએ કરી બેઠક
ભારતમાં વધતાં કોરોના કેસ વચ્ચે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ગ્રુપ ઑફ મિનિસ્ટરની 24મી બેઠક કરી હતી જેમાં જયશંકર, હરદીપ પૂરી, અશ્વિની કુમાર ચોબે સામેલ થયા હતા. બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વાયરસ પર ઘણા બધા આંકડા જાહેર કર્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ દાવો કર્યો કે દેશમાં અત્યાર સુધીમાં એક કરોડ 19 લાખથી વધારે લોકો કોરોના વાયરસ સામે સાજા થયા છે. રિકવરી રેટ પહેલા 96થી 97 પહોંચી ગયો હતો જે હવે ઘટીને 91.22 થઈ થઈ ગયો છે.
રાહતના સમાચાર
સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે દેશમાં 149 જિલ્લા એવા છે જ્યાં સાત દિવસમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. આઠ જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસનો એક પણ સામે આવ્યો છે. 3 જિલ્લા એવા જ્યાં 21 દિવસમાં એક પણ મામલો સામે નથી આવ્યો. દેશમાં અત્યારે 0.46 ટકા ગંભીર દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 2.31 ટકા દર્દીઓ ICU છે.
વેક્સિન મુદ્દે રાજ્યોની ફરિયાદ
નોંધનીય છે કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વેક્સિનની અછત જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ ગઇકાલે જ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અમે સૌથી વધારે પરેશાન છીએ અને કેન્દ્ર સરકાર વેક્સિન મામલે ગુજરાત પર મહેરબાન છે. જોકે આ મુદ્દે ભારતના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જવાબ પણ આપ્યો છે.
કેન્દ્ર સરકારે આપ્યો જવાબ
હર્ષવર્ધને કહ્યું છે કે ડર ખતમ કરો. કોરોના વેક્સિનની 9 કરોડ ડોઝ આપી દેવામાં આવી અને રાજ્યો પાસે 4.3 કરોડનો સ્ટોક છે. અછતનો સવાલ જ ક્યાં ઊભો થાય છે. અમે સતત નજર રાખીએ છે અને અમે સતત સ્ટોક વધારી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (9મી એપ્રિલ)
ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,31,968 કેસ આવતા હડકંપ મચી ગયો છે. પહેલીવાર આટલા બધા કેસ સામે આવ્યા છે જ્યારે 24 જ કલાકમાં 780 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608 થઈ ગઈ છે.