બિહારમાં પૂરને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું છે કે પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં મૃત્યુઆંક વધીને 23 થઈ ગયો છે.
બિહારના 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
વરસાદથી જનજીવન થયું પ્રભાવિત
ટ્રેન સેવાઓ થઈ રદ
રાજ્યમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
મુખ્યમંત્રીએ કહ્યું, "શનિવારથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે અને ગંગાની જળસપાટી વધી રહી છે. પરંતુ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રશાસન લોકોને મદદ માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે."
Bihar Chief Minister Nitish Kumar on flood situation in the state: Such a situation is not in any one's hand, it's a natural thing. Arrangements are being done to provide drinking water to all. Also, arrangements are being made for community kitchens for the flood-affected people https://t.co/5Pyyw3VUKW
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, "આ સ્થિતિ કોઈના હાથમાં નથી, આ દુર્ઘટના પ્રાકૃતિક છે. હવામાન વિભાગ પણ સવારે કંઇક કહે છે અને બપોરે કંઈક થાય છે. શુદ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સમુદાય રસોડું પણ ચલાવવામાં આવી રહ્યું છે. "
નિતિશ કુમારે યોજી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક
બિહારમાં પૂરને કારણે લોકોને અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાટનગર પટણામાં પણ હાલત ખરાબ છે. ઉત્તર બિહારના 14 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી નીતીશ કુમારે શનિવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે તાકીદની બેઠક યોજી હતી. બેઠકમાં ભારતીય હવામાનશાસ્ત્રના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
આ જિલ્લાઓમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, જાણો ક્યાં કયું એલર્ટ અપાયું
હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે ભારે વરસાદને કારણે બિહારના 14 જિલ્લામાં એલર્ટ આપ્યું છે. જે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમાં સુપૌલ, અરરિયા, કિસનગંજ, બાંકા, સમસ્તીપુર, મઘેપુરા, સહરસા, પૂર્ણિયા, દરભંગા, ભાગલપુર, ખગડિયા, કટિહાર, વૈશાલી અને મુંગેરનો સમાવેશ થયો છે. તો 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને પટના સહિત 5 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના આધારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 કિલોમીટરનો વરસાદ નોંધાયો છે. આવનારા 48 કલાકમાં બિહારમાં વરસાદની સ્થિતિ કાયમ રહેવાનું અનુમાન છે. આ સ્થિતિ 3 ઓક્ટોબરે સામાન્ય થઈ શકે છે.
હોસ્પિટલોમાં ઘૂસ્યા પાણી, સ્કૂલ કોલેજો રહેશે બંધ
પટનાના નાલંદા મેડિકલ કોલેજમાં શનિવારે પાણી ઘૂસી ગયું જેને લઈને દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક શાળા, કોલેજો અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શાળા અને કોલેજો સોમવાર સુધી બંધ રહેશે.
નદીઓ છલકાઈ, ટ્રેન થઈ પ્રભાવિત
બિહારમાં સતત થઈ રહેલા વરસાદને કારણે ગંગા નદી છલકાઈ છે અને સાથે જ અનેક ટ્રેનની ગતિ પણ ધીમી થઈ છે. સમસ્તીપુર - દરભંગા માર્ગની કિશનપુર-રામભદ્રપુરની વચ્ચે જમીન ધસી જવાના કારણે ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. બિહાર સરકારના જલસંસાધન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ગંગા, કમલા બલાન, બાગમતિ નદીઓ અનેક સ્થાનોએ ખતરાના નિશાનને વટાવી ચૂકી છે.