અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલ હુમલાની ઘટનાઓ બાદ ઘરવાપસી કરી રહેલા પરપ્રાંતિયોને લઇને પરિસ્થિતિ તંગ બની છે. આ હુમલાઓને લઇને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુજરાત સીએમ વિજય રૂપાણી સાથે વાત કરી. ત્યારે ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ આ મામલે સરકારનો પક્ષ રાખવા સામે આવ્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકો જે ચૂંટણીમાં જીતી નથી શક્યા તેઓ હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
બીનગુજરાતીઓ પર હુમલાના ડરથી ઘર પરત ફરવાના મામલાને ગંભીરતાથી લેતા બિહારના સીએમ નીતીશ કુમાર સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી. નીતીશ કુમારે કહ્યું કે મે કાલે(રવિવારે) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી.
અમે તેની સાથે સંપર્કમાં છીએ અને તેઓ પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે. બિહારના CS DGP ગુજરાતના CS અને DGP સાથે સંપર્કમાં છે. જેમણે હુમલા કર્યા છે તેમને સજા મળવી જોઇએ અને કોઇ પ્રકારના ભેદભાવ ન હોવા જોઇએ. જો કે આ મામલે ગુજરાત સરકારના પગલાથી નીતિશકુમાર સંતુષ્ટ છે.