મહેસાણાઃ સિવિલમાં છેલ્લા બે માસથી હીમોફીલીયાના ઇન્જેક્શન ઉપલબ્ધ નહી હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે મહેસાણા સિવિલની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ હતું.
નિતિન પટેલે આ મામલે દરમિયાનગીરી કરી તાત્કાલિક ગ્રાન્ટ રિલીજ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી. એટલુ જ નહી ઇમરજન્સી વખતે બહારથી ઇન્જેક્શન ખરીદવાની પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા સૂચના અપાઇ હતી.