Covid-19 હાલ સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય છે. આ વાયરસથી હજારો લોકોના મોત થઇ ગયા છે. શું એને ટેક્નોલૉજીનો સહારો લઇને રોકી શકાય છે?
કોરોના વાયરસથી બચવા માચે ઘણી રીતો અપનાવવામાં આવી રહી છે
Covid 19થી બચાવ માટે ઘણા દેશ ટેક્નૉલોજીનો સહારો લઇ રહ્યા છે
સિંગાપુરે TraceTogether નામની એક એપ લૉન્ચ કરી છે જે શૉર્ટ ડિસ્ટેન્સ બ્લૂટૂથ સિગ્નલ હેઠળ કામ કરે છે. આ એપથી એવું જાણી શકાય છે કે Covid 19ના શંકાસ્પદ દર્દી કોણ છે અને એનો ડેટા સરકારને મોકલે છે.
લોકેશન અને બ્લૂટૂથ દ્વારા થશે ઑપરેટ
રિપોર્ટ પ્રમાણે ભારતમાં આ પ્રકારની એપ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એપ હાલ લિમિટેડ લોકોના ટેસ્ટિંગ માટે આપવામાં આવી છે. સિંગાપુરે જો કે TraceTogether એપનો સોર્સ કોડ પબ્લિક કરી દીધો છે. એટલે કોઇ પણ દેશનો ડેવલોપર એનો ઉપયોગ કરીને આ પ્રકારની એપ તૈયાર કરી શકે છે.
આ એપનું નામ Cowin 20 છે અને એને એન્ડ્રોઇડ અને આઇઓએસમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં આ એપ યૂઝરનું લોકેશન ટ્રેક કરશે. આ એપ યૂઝરને પણ નોટિફિકેશન આપશે કે એમની આસપાસ કોઇ Covid-19 જેને છે એમનો એક ડેટાબેસ તૈયાર કરવામાં આવી શકે છે. હવે આ કોરોના વાયરસ પેશન્ટના ડેટાબેસની સાથે તમારા ફોન દ્વારા કલેક્ચ કરવામાં આવેલા ડેટા મેચ કરાવવામાં આવશે.
આ ડેટાબેસમાં એ લોકોની પર ડિટેલ્સ દાખલ કરી શકવામાં આવી શકે છે જે તાજેતરમાં બીજા દેશોથી ભારત આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ એપ એવું પણ જણાવશે કે કયા વિસ્તારોમાં વધારે કોરોના વાયરસના કેસ મળ્યા છે.
આ એપને ડાઉનલોડ કરવા પર આ તમારા લોકેશન ડેટાનું એક્સસ માંગે છે જે દરેક વખતે ઑન રહેશે. TNWના એક રિપોર્ટ પ્રમાણે આ એપની એન્ક્રિપ્શન પૉલિસી એવું કહે છે કે તમારો ડેટા એન્ક્રિપ્ટ છે અને આ માત્ર ડિવાઇસ સુધી જ રહેશે.
જો કે તમારું Covid-19નું ટેસ્ટ પૉઝિટિવ આવે છે તો આ એપ તમારા ડેટા હેલ્થ મિનિસ્ટ્રીની સાથે શેર કરશે.
હાલ સરકાર તરફથી આ એપને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવું પણ સ્પષ્ટ છે નહીં કે સરકાર કોઇ પ્રકારથી લોકોને ટ્રેન કરશે અને એપ દ્વારા એમનું લોકેશન ડેટા અને Covid-19ના ડેટાબેસની સાથે મેચ કરશે.
TNWના એક રિપોર્ટ પ્રમાણે Cowin-20 એપ NITIAyog બનાવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ એપનો કોડ અત્યાર સુઘી સમગ્ર રીતે તૈયાર થયો નથી.
હેલ્થ મિનિસ્ટ્રીની સાથે શેર થશે યૂઝર ડેટા
આ એપ ઘણા પ્રકારથી સંભાવિત કોરોના પેશન્ટને ટ્રેસ કરી શકે છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં આ એપને ઇન્સ્ટૉલ કર્યું છે અને તમે કોઇને મળવા જાવ છો.
તમે જેને પણ મળ્યા અને એને થોડાક દિવસો બાદ Covid-19 પૉઝિટિવ મળી આવ્યો તો હેલ્થ મિનિસ્ટ્રી આ આધાર પર તમને પણ ટ્રેક કરશે. તમને ટ્રેક કરીને નોટિફિકેશન મોકલવામાં આવશે અને Covid-19 માટે ટેસ્ટ કરાવવવા માટે પણ કહેવામાં આવશે.
સિંગાપુર દ્વારા લૉન્ચ કરવામાં આવેલી એપ બાદ પ્રાઇવેસીને લઇને પ્રશ્ન ઊઠવાનું શરૂ થઇ ગયું છે. કારણ કે એનાથી સામાન્ય લોકોનો ડેટા સરકાર સાથે શેર થશે.