નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે કહ્યું કે 31 માર્ચ 2020 સુધી સંકટગ્રસ્ત કોઇપણ MSMIને એનપીએ જાહેર કરવામાં આવશે નહીં. એમણે બેન્કો સાથે રોકડની સ્થિતિને લઇને સમીક્ષા કરી.
સંકટગ્રસ્ત કોઇપણ MSMIને એનપીએ જાહેર નહીં કરવામાં આવે
રોકડ સંકટને લઇને દેશની મોટી બેન્કો સાથે થઇ ચર્ચા
અર્થવ્યવ્થાને મંદીમાંથી બહાર લાવવા માટે જાહેરાત
NBFCની સ્થિતિમાં સુધાર
પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેટલીક બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC)ની ઓળખ કરવામાં આવી છે. જેને બેન્ક લોન આપી શકે છે. બેન્ક લેન્ડિંગ માટે નવા ગ્રાહક જોડવામાં આવશે. નાણામંત્રીનું માનીએ તો NBFCની સ્થિતિ સુધરી રહી છે.
200 જિલ્લામાં લાગશે કેમ્પ
નાણામંત્રીએ કહ્યું કે બેન્ક લોન આપવાના ઇરાદાથી 3થી 7 ઓક્ટોબરની વચ્ચે 200 જિલ્લામાં એનબીએફસી અને લોન માટે કેમ્પ લગાવશે. સરકારે આ અભિયાનને 'બેન્ક લોન મેળો' નામ આપ્યું છે. નાણા મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 11 ઓક્ટોબર બાદ પણ લોન મેળાનું આયોજન કરવામાં આવશે.
સૌથી ખાસ વાત એ છે કે જે જિલ્લામાં આ લોન મેળાનું આયોજન કરવામાં આવશે, ત્યાંના સાંસદ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ અભિયાનમાં ભાગ લેશે. આ ઉપરાંત બેન્કોના વિલયના સવાલ પર સીતારમણે કહ્યું કે નિયમ મુજબ કામ ઝડપથી ચાલી રહ્યું છે અને બેન્ક રિફોર્મ્સના સારા પરિણામ આવશે.
નોંધનીય છે કે મંદીની ચિંતાઓ વચ્ચે મોદી સરકાર તરફથી સતત મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમણ અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને દૂર કરવા માટે ઘણી જાહેરાત કરી ચૂકી છે.
અર્થવ્યવસ્થામાં સુધારના સતત પ્રયાસ
આ પહેલા શનિવારે નાણામંત્રીએ 60 ટકા સુધી પૂર્ણ થઇ ચૂકેલ નિર્માણાધીન આવાસીય પરિયોજનાઓનું કામ પૂર્ણ કરવા માટે 10 હજાર કરોડ રૂપિયાની વિશેષ સુવિધા આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આટલી રાશિ ખાનગી ક્ષેત્રથી મેળવવામાં આવશે, તેની પણ જાણકારી આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે સરકારએ વાતને લઇને ગંભીર છે કે આવનારા દિવસોમાં જો વધુ જરૂર પડે છે તો જાહેરાત કરવામાં આવશે.