વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું. નિર્ભયા ગેંગ રેપ કેસના ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટના જસ્ટિસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચારેય દોષિતો સાથે વાત કરી. આ દરમિયાન મીડિયાને અંદર નહોતી જવા દેવામાં આવી.
પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયા કેસની સુનાવણી
દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા અપાશે
પટિયાલા હાઉસ કોર્ટના જજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચારેય દોષિતો સાથે વાત કરી
નિર્ભયા ગેંગરેપના દોષિતોનું ડેથ વૉરન્ટ
નિર્ભયા ગેંગરેપના દોષિતોનું ડેથ વૉરન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નિર્ભયા ગેંગ રેપ કેસના ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ દરમિયાન જો ચારેય દોષિત ઇચ્છે તો ક્યૂરેટિવ પિટિશન અથવા દયા અરજી દાખલ કરી શકે છે. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ રૂમ બંધ કરી દેવામાં આવ્યો હતો. મીડિયાને વીડિયો કોન્ફરન્સિંગ રુમમાં જવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
2012 Delhi gangrape case: A Delhi court issues death warrant against all 4 convicts, execution to be held on 22nd January at 7 am https://t.co/K4JCAM0RJa
સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને દોષિત મુકેશની માતા કોર્ટમાં જ રડી પડ્યા હતા. નિર્ભયા મામલામાં ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને પહેલા જ ફાંસીની સજા આપવામાં આવી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ દોષિતોને આપેલો ક્યુરેટિવ પિટિશનનો સમય પૂર્ણ થયો છે. કોર્ટના ચૂકાદા પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. કોર્ટના આદેશને અનુસરવા માટે તિહાર જેલમાં ચારેય આરોપીઓની ફાંસીની તૈયારીઓ માટે 25 લાખ રૂપિયાના ખર્ચે તખ્તો તૈયાર કરાયો છે.
નિર્ભયાના માતા-પિતાની દોષિતોના ડેથવોરંટ માટે કોર્ટમાં અરજી
ડિસેમ્બરમાં નિર્ભયાના માતા-પિતાએ દોષિતોના ડેથવોરંટ માટે કોર્ટમાં અરજી કરી હતી. પોલીસે પણ કોર્ટ સમક્ષ દોષિતોની ફાંસીની માગણી કરી હતી. જો કે આ અરજી બાદ દોષિત અક્ષયે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે દોષિત અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજી નકારી હતી. આ અગાઉ 18 ડિસેમ્બરે પટિયાલા હાઉસકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં દોષિતોના વકીલે ફાંસી માટે ઉતાવળ નહી કરવા રજૂઆત કરી હતી. આથી કોર્ટે ન્યાય સિદ્ધાંત અંતર્ગત ક્યૂરેટિવ પિટિશનનો સમય આપ્યો હતો.
તિહાર જેલમાં કરાઈ છે આ વ્યવસ્થા
તિહાર જેલમાં લગભગ 25 લાખ રૂપિયાના ખર્ચે એક નવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. કોર્ટનો આદેશ આવતાં જ એકસાથે ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવશે. જેલમાં જે જૂનો તખ્તો હતો તેમાં 2 લોકોને ફાંસી આપવાની વ્યવસ્થા હતી. આ સિવાય એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેલ અધિકારીએ જણાવ્યું છે કે તેમની તરફથી તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. કોર્ટના આદેશની રાહ જોવાઈ રહી છે.
નિર્ભયાની માતાએ કરી હતી સુનાવણીની અરજી
નિર્ભયાની માતા દ્વારા કરવામાં આવેલી સુનાવણીની અરજીને ધ્યાનમાં રાખીને પટિયાલા હાઉસ કોર્ટે દોષીઓના ડેથ વોરંટની સુનાવણી માટે આજની તારીખ એટલે કે 7 જાન્યુઆરી નક્કી કરી છે. આ પહેલાં પણ નિર્ભયાના ગુનેગારો દ્વારા જેલમાં ગૂનાકિય બનાવોના સમાચાર પણ આવ્યા છે. આ સાથે તેઓ ફાંસીની સજા થોડા સમય માટે ટાળી દેવામાં આવે તેની કોશિશ કરી રહ્યા છે.
સુપ્રીમથી ફગાવી દેવાઇ છે અરજી
આ મામલામાં હવે નિર્ભયા કેસ સાથે જોડાયેલા કોઇપણ કેસ દિલ્હીની કોઇપણ કોર્ટમાં લંબિત નથી. ગત 1 મહીના દરમિયાન લગભગ 3 અરજીઓ સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને પટિયાલા હાઉસ કોર્ટથી ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે એક દોષિતની પુનર્વિચાર અરજી ફગાવી ચૂક્યું છે.