કેન્દ્ર સરકારે કેરળમાં વધતા જતા નિપાહ વાયરસના કેસને લઈને રાજ્ય સરકારને રોજના રિપોર્ટ કરાયેલા કેસને માટે કંટ્રોલ રૂમ બનાવવાની સૂચના આપી છે.
Nipah Virusનો વધી રહ્યો છે કેસ
કેરળમાં કેસ વધતા કેન્દ્રની રાજ્ય સરકારને ખાસ સૂચના
5 સૂત્રો આપીને કેસની દેખરેખ કરવા સાથે ખાસ આદેશ કર્યા જાહેર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નિપાહ વાયરસની સામે લડવા માટે કેરળ સરકારને 5 સૂત્રની રણનીતિની રજૂઆત કરી છે. મંત્રાલયે આ સલાહ વાયરસ સંક્રમણની વચ્ચે કેરળની મુલાકાત લેનારી કેન્દ્રીય ટીમ દ્વારા અપાયેલા પહેલા રિપોર્ટના આધારે આપી છે.
શું કહ્યું સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કેરળના મુખ્ય સચિવ વીપી જ્વોયને હોસ્પિટલ અને સામુદાયિક આધાર પર સર્વિલાંસની મદદથી ધ્યાન રાખવા અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં એક્ટિવ કેસની ઓળખ કરવા કહ્યું છે.
ભૂષણે લખ્યું કે એક્યૂટ ઇંસેફ્લાઈટિસ સિન્ડ્રોમ અને શ્વાસ સંબંધી બીમારીની સાથે લોકોએ ખતરાથી સચેત રહેવાની જરૂર છે જેથી સંક્રમણના કેસની તરત તપાસ કરી શકાય અને તેને માટે ફીલ્ડ પર જાગૃતતા લાવવાની જરૂર છે.
તેઓએ એમ પણ કહ્યું કે જિલ્લા પ્રશાસન વાયરસ સંક્રમણના પ્રાથમિક અને દ્વિતિયક કોન્ટેક્સની ઓળખ આવશ્યક રીતે કરે. આ સાથે હાઈ રિસ્ક કોન્ટેક્ટ્સને ક્વોરન્ટાઈન કરવામાં આવે જેથી તેમના લક્ષણો પર નજર રાખી શકાય.
હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તરફ ઈશારો કરતાં તેઓએ કહ્યું કે કોઝિકોડ સ્થિત ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં પૂરતી સંખ્યામાં સિંગલ રૂમ અને આઈસીયૂ તૈયાર કરી લેવા જોઈએ જેથી સ્થિતિ સામે લડવાની તૈયારી રહે.
ભૂષણે વધુમાં કહ્યું કે એમ્બ્યુલન્સ અને ટ્રેન્ડ સ્ટાફની સાથે એક રેફરલ સિસ્ટમ તૈયાર કરી લેવી. એન્ટી વાયરલ દવા રીબાવેરિનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરવો અને જિલ્લા હોસ્પિટલમાં પર્સનલ પ્રોટેક્ટિવ એક્કિપમેન્ટ કિટ પણ સ્વાસ્થ્ય કર્મીઓ માટે પૂરતા પ્રમાણમાં સુનિશ્ચિત કરી લેવી.
કેન્દ્ર સરકારે તેની સાથે રાજ્ય સરકારને રોજનો રિપોર્ટ કરવા માટે કંટ્રોલ રૂમ બનાવવાનું સૂચન પણ કર્યું છે. તેઓએ કહ્યું કે પશુ સ્વાસ્થ્ય અને વાઈલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટ અને અન્ય ફીલ્ડ ઓફિસર્સની વચ્ચે તાલમેલ સ્થાપિત કરો જેથી વાયરોલોજિકલ સ્ટડી અને અન્ય સ્ટડી માટે ચામાચીડિયાના સેમ્પલ મળી શકે.