શાંત પાણીમાં કાંકરો ફેંકીને જેવા વમળો પેદા થાય તેવા વિવાદના વમળો કથાકાર મોરારી બાપુના એક નિવેદનથી સર્જાયા છે. બાપુના નિવેદનનો વિવાદ એટલો વકર્યો છે કે, હવે શમવાનું નામ નથી લેતો. ત્યારે કેવી રીતે વિવાદ શરૂ થયો અને કેમ તે વકર્યો, જોઈએ આ અહેવાલમાં.
મોરારી બાપુના નિલકંઠના નામના નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયની લાગણી દુભાઈ અને મોરારી બાપુ માફી માગે તેવી માગ ઉઠી. બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ બાપુના નિવેદનોને વખોડ્યું અને ત્યારબાદ વિવિધ નિવેદનો શરૂ થયાં
મોરારી બાપુના નિવેદન અને સ્વામિનારાયણ સંતોની પ્રતિક્રિયાનો દોર શરૂ થયો અને આ વિવાદ વકરવા લાગ્યો. હરિભક્તોએ બાપુ માફી માગે તે માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને ધૂન બોલાવી તથા પોસ્ટકાર્ડ લખ્યા.
વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું સોશિયલ મીડિયાએ. સોશિયલ મીડિયામાં બન્ને સંપ્રદાયોના સમર્થકો આમને સામને આવી ગયા. આ વિવાદ ઠંડો જ પડવા જઈ રહ્યો હતો ત્યા સંત સમાજે મોરારી બાપુનું સમર્થન કર્યું અને કઇંક આવુ નિવેદન આપ્યું
મહામંડલેશ્વર જગ્ગુ બાપુ બાદ ઇન્દ્રભારતી બાપુએ પણ મોરારી બાપુનું સમર્થન કર્યું અને સ્વામિનારાયણ સંપ્રદાય પર સવાલ ઉઠાવ્યા. એક તરફ સાધુઓના એક બાદ એક વિવાદ જગાવે તેવા નિવેદનો આપી રહ્યા હતા. જેને લઈને આ તિરાડ મોટી થઈ રહી હતી. એવામાં વરીષ્ઠ સંત ભારતી બાપુએ પોતાનું દુખ વ્યક્ત કર્યું અને બન્ને સંપ્રદાયોને સાધાનકારી વલણ દાખવીને હિન્દુ ધર્મની બદનામી થતી અટકાવવા કહ્યું.
ભારતીબાપુનું દર્દ સમજી શકાય છે. કારણે લોકોને ઉપદેશ આપવાનું અને સમાજને રાહ ચિંધવાનું કામ કરતા સંતો જ જ્યારે પોતાના નિવેદનોથી સમાજને ગુમારાહ કરે તે હિતાવહ નથી. વહેલી તકે આ વિવાદનો અંત આવે તેવું જ સાચા સંતો ઇચ્છી રહ્યા છે.