રાજકોટ નજીક આવેલા ન્યારી 2 ડેમમાં એક વેપારીએ પોતાના બે સંતાનો સાથે આપઘાત કર્યો છે. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે રહેતા કિરણભાઈ સેજપાલે પોતાના 6 વર્ષના પુત્ર અને 5 વર્ષની પુત્રી સાથે આપઘાત કર્યો છે.
તેમણે આપઘાત કરતા પહેલા ફોન કરીને જીંદગીથી કંટાળ્યા હોવાનું જણાવ્યું હતું. ફાયરબ્રિગેડે ત્રણેયના મૃતદેહ ડેમમાંથી બહાર કાઢયા છે. પડધરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આપઘાતનું મુખ્ય કારણ ઘરકંકાસ માનવામાં આવી રહ્યું છે.