મહત્વનું છે કે રાજપીપળા શહેરમાંથી 15 યુવાનો 3 ખાનગી કારમાં અમરનાથયાત્રાએ ગયા હતા. જો કે કાશ્મીર ખીણમાં સર્જાયેલી અશાંત પરિસ્થિતિમાંથી હેમખેમ પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ત્યારે યાત્રાળુઓએ પોતાના અનુભવો વર્ણાવતા જણાવ્યુ હતું કે કાશ્મીરના બારામુલ્લા સહિતના ગામોમાં સ્થાનિક પ્રજાના 500-500ના ટોળા કાર ઘેરી લઈને જબરજસ્તીથી ગેરકાયદેસર ઉઘરાણુ કરતા હતા. જો કે જેમતેમ કરીને અમરનાથ દાદાની કૃપાથી યાત્રા પાર પડી હોવાનું જણાવ્યું હતું.