યુરોપીયન યુનિયનમાં IN OR OUT... Brexit પર આજે થશે ફેંસલો. યુરોપીયન યુનિયનથી અલગ થવા મથી રહેલા બ્રિટેનમાં આજે જનમત છે. શું છે Brexit... બ્રિટનને કેમ થવું છે યુરોપીયન યુનિયનથી અલગ અને તેની ભારત પર શું થશે અસર જોઈએ આ અહેવાલમાં...
બ્રિટન અને યુરોપીયન યુનિયન માટે ઓજે અત્યંત મહત્વનો દિવસ છે. 2008ની મંદી બાદ ફાયનાન્સ વર્લ્ડમાં આ બીજી એવી ઘટના હશે કે જેની ચર્ચા દુનિયા આખીમાં થઇ રહી છે. આજે જનમત આધારે બ્રિટન EUમાં રહેશે કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાને Brexit કહેવાઇ રહી છે.
શું છે Brexit?
britaiમાં exit શબ્દ ઉમેરીને બન્યો છે. Brexit એટલે બ્રિટેનનું યૂરોપિયન યુનિયનથી બહાર નકિળવું.
EUથી આઝાદી કેમ?
બ્રિટનની ઓળખ આઝાદી સંસ્કૃતિ બચાવવા જરૂરી
EUને કારણે બ્રિટનમાં આવી રહેલા ઈમિગ્રન્ટસ સામે વાંધો
બ્રિટિશ ટેકસપેયરના અબજો પાઉન્ડ વેડફવાનો EU પર આરોપ
શું કહે છે રાજકીય પક્ષ ?
હાલમાં બ્રિટિશ શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન ડેવિડ કેમરોન EUમાં બની રહેવાના પક્ષમાં છે. જ્યારે તેમની જ પાર્ટી સાથે સંકળાયેલા લંડનના મેયર બોરિસ જોનસન EUમાંથી બહાર નીકળી જવાના પક્ષમાં છે. આ દરમિયાન 16 જૂને વિપક્ષ લેબર પાર્ટીની 41 વર્ષની મહિલા સાસંદ જો કોસની તેના જ સંસદીય ક્ષેત્રમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. કોસ બ્રિટનને યુરોપીયન યુનિયનમાં રહેવાની સમર્થક હતી.
ભારતીયો પર અસર?
Brexitની ભારત કે ભારતીયો પર પણ અસર ચોક્કસથી પડવાની જ. હાલમાં ભારત બ્રિટનમાં ત્રીજા નંબરનું વિદેશી રોકાણકાર છે. ભારતની લગભગ 800થી વધુ કંપનીઓ બ્રિટનમાં કાર્યરત્ત છે જેમા 1 લાખ કરતા વધુ લોકો કામ કરે છે. Brexitને કારણે આ કંપનીઓમાં અનિશ્ચિત્તાનું પ્રમાણ સર્જાઇ શકે છે. તો બ્રિટનનું માર્કેટ ભારત માટે ખુલ્લું હોવાને કારણે ભારતમાં નોકરીઓની સંખ્યા ઘટશે એવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે. એટલું જ નહીં Brexitને કારણે ભારતની વિદેશી નિકાસમાં પણ અસર પહોંચશે. જાણકારાનો મતે Brexitને કારણે ભારતની નિકાસ પર ચોક્કસથી અસર પડશે.