આજે ગુજરાતના 53મા સ્થાપના દિન નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહાગુજરાતના લડવૈયા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા અને શહીદ સ્મારકને પુષ્પાજંલી અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભદ્રકાળી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત રહી ઇન્દુચાચાની પ્રતિમાને તથા શહીદ સ્મારકને પુષ્પાંજલી અર્પી.
નવસારી જીલ્લામાં રાજયના સ્થાપના દિનની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી નવસારીમાં છે. સ્થાપના દિનની ઉજવણીને લઈને પુરુ નવસારી શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ છે.નવસારીમાં ભૂમિ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. વળી ઈનોવેટીવ ફાર્મસી મીટ પ્રગતિશીલ કિસાનોના અભિનવ પ્રયોગોનું પ્રદર્શન મેંગો ફેસ્ટીવલ પી.જી.હોસ્ટેલ બિલ્ડીંગ તથા વેટર ક્લીનીક કોમપ્લેક્ષની લોકાર્પણ વિધી કરવામાં આવી.. તથા કાવેરી સુગર ફેક્ટરીને રૂ. 5 કરોડ 55 લાખ 39 હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો..