જે માટીની કોઈ કિંમત નથી હોતી તે માટી બહુચરાજી મંદિરમાં વર્ષે 70 લાખની આવક કરાવી રહી છે. જી હા સાંભળવામાં ભલે આશ્ચર્ય લાગે પરંતુ આ વાત સત્ય છે. બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક આ વાવની માટી પોતાની સાથે લઈ જાય છે.
આ વાવની માટીની માન્યતા છે કે આ માટી લઈ જવાથી લોકોની મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જેથી ચમત્કારિક માટીની ગોળીનું પ્રસાદરૂપે મંદિરમાં રૂપિયા 21માં વેચાણ કરવામાં આવે છે. જેથી મંદિરને વર્ષે લોખો રૂપિયાની આવક પ્રાપ્ત થઈ રહી છે.