કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે સ્પષ્ટ કરી દીધું છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારના ખેડૂતોના દેવાને માફ કરવા માટે પોતે મહેનત કરવી પડશે. આ અંગે સંકેત નાણામંત્રી અરૂણ જેટલીએ રાજ્યસભામાં આપ્યા છે. ચૂંટણી પ્રચાર વખતે પીએમ મોદીએ ખેડૂતોના દેવાને માફ કરવાનું વચન આપ્યું હતું.
ત્યારે રાજ્યસભામાં આ મામલે સપાના સાંસદ નરેશ અગ્રવાલે સવાલ કર્યો હતો અને તે સવાલના જવાબમાં જેટલીએ કહ્યું છે કે જો કોઇ રાજ્ય સરકાર સક્ષમ છે અને તે ખેડૂતોના દેવાને માફ કરવા માગે છે તો તે રાજ્યને પોતે આ મામલે કામ કરવુ પડશે. જેટલીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પૂરા દેશમાં ખેડૂતોના દેવાને માપ કરવા પર વિચાર નથી કરી રહ્યું.