સુરતમાં ગત રાત્રે સર્જાયેલી તંગદિલીના પગલે અમદાવાદમાં એલર્ટ જાહેર કરાયું છે. સુરતમાં પોલીસ પર થયેલા પથ્થરમારાને લઇને અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. તકેદારીના ભાગ રૂપે અમદાવાદમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
તો આ તરફ સુરતમાં થયેલા હોબાળાને લઇને હાર્દિક પટેલે ચિમકી ઉચ્ચારી છે કે જો કોઇ નિર્દોષ પાટીદારની ધરપકડ થશે તો પરિસ્થિતિ બગડશે. અને જેની જવાબદારી સુરત પોલીસ અને ગુજરાત સરકારની રહેશે. ઉલ્લેખનિય છે કે સુરત યોગીચોકમાં સભા રદ થઈ હોવા છતાં અનેક સ્થળોએ લોકોના ટોળે ટોળા વળ્યા હતા..અને પોલીસની જ હાજરી લોકોએ પોલીસનો હુરિયો બોલાવ્યો હતો.