ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ મુખ્યમંત્રી તરીકે આખરે યોગી આદિત્યનાથની પસંદગી કરવામાં આવી છે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન પદ માટે કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા રાજનાથ સિંહ કેશવ પ્રસાદ મૌર્ય પછી મનોજ સિન્હાનું નામ સામે આવ્યું હતુ. પરંતુ આજની વિધાયક દળની બેઠકમાં અચાનક યોગી આદિત્યનાથના નામ પર મોહર લગાવવામાં આવી છે.
તો 19 માર્ચે પીએમ મોદીની હાજરીમાં બપોરે સવા બે કલાકે ઉત્તર પ્રદેશની નવી સરકાર શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 50 હજાર લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મળતી માહિતી મુજબ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
સંઘને આપવામાં આવી જાણકારી
તો યોગી આદિત્યનાથ નામ પર બનેલી સહમતિની જાણકારી સંઘને પણ આપી દેવામાં આવી છે. આ તમામ ખબરો વચ્ચે સીએમના નામને લઇને યૂપીના પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યએ પોતાની રિપોર્ટ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આપી દીધી છે.