SpiceJet બાદ Air Indiaએ પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે વન ફ્લાઈ ટૂ ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ એર ઇન્ડિયા ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં દરેક બુકિંગ પર એક ટિકિટ ફ્રીમાં આપશે. આ ઓફર અંતર્ગત બુકિંગ અથવા પ્રવાસ બન્ને 31 મે સુધી કરી શકાશે. એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે આ યોજનાનો ઉદ્દેશ આ બન્ને ક્લાસમાં પ્રવાસીઓની સંખ્યા વધારવાનો છે. જેમાં સામાન્ય રીતે અડધી સીટ ખાલી રહે છે.
રાષ્ટ્રીય એરલાન્સ એર ઇન્ડિયાની બાય વન ફ્લાઈ ટૂ ઓફર અંતર્ગત મહાનગર સિવાયના રૂટ પર ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં એક ટિકિટ ફ્રી આપવામાં આવશે. તમને જણાવીએ કે વિતેલા બે વર્ષથી ઘરેલુ એરલાઈન્સ ક્ષેત્ર 20 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે અને એરલાઈન્સ સસ્તી ટિકિટ દ્વારા માગ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહી છે.