નોટબંધીથી સમગ્ર દેશની જનતા તો મુશ્કેલીનો સામનો કરી રહી છે. પણ સાથે જ આતંકવાદીઓ અને માઓવાદીઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. નોટબંધીના કારણે આતંકવાદીઓ અને માઓવાદીઓને આર્થિક માર પડી છે.
આતંકની તૂટી કમર઼
નોટબંધીના નિર્ણયથી તૂટી આતંકીઓ-નક્સલીઓની કમર
આતંકીઓને મળતા ફંડિંગમાં થયો ઘટાડો
ન~સલીઓ પાસે જમા કરેલા પૈસા થયા નકામા
500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ લગાવીને મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરના આતંકવાદીઓ અને દેશભરમાં ફેલાયેલા નકસલીઓની કમર તોડી નાખી છે. એક બાજુ જ્યાં કાશ્મીરમાં હવાલા દ્વારા આતંકીઓ અને અલગાવવાદીઓ સુધી પહોંચનારા ફંડિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યાં નકસલીઓએ મોટી સંખ્યામાં ભેગા કરી રાખેલા રૂપિયા હવે બેકાર બની ગયા છે.
500-1000ની નોટ સ્વરૂપે આતંકીઓને મળતી હતી રકમ
માઓવાદીઓને મોટી રકમ બહાર કાઢતા છૂટયો પરસેવો
કાશ્મીરમાં આતંકીઓ અને અલગાવવાદીઓ સુધી હવાલા દ્વારા રૂપિયા પહોંચતા હતાં. આ રકમ મોટા ભાગે 500 અને 1000 રૂપિયાની નોટો સ્વરૂપે રહેતા. હવે જૂની નોટો પર પ્રતિબંધ આવી જતા આ ફંડિંગમાં કમી જોવા મળી છે. આ બાજુ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલા માઓવાદી સમૂહ ખાસ કરીને બિહાર ઝારખંડના માઓવાદીઓએ અપહરણ દ્વારા મોટી રકમ જમા કરી રાખી હતી જેને કાઢવામાં હવે તેઓને પરસેવો છૂટી રહ્યો છે.
હિંસા અને પ્રદર્શનો કરાવવા માટે હવે ફંડ નથી
હિંસક પ્રદર્શન અને પથ્થરબાજી કરાવવા માટે નથી રૂપિયા
ઘાટીમાં 8 નવેમ્બર પછી કોઈ આતંકી હુમલો થયો નથી
500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ બાદ હવાલા ચેનલ દ્વારા આવનારા ફંડનો સ્ત્રોત બંધ થઈ ગયો છે. હિંસા અને પ્રદર્શનો કરાવવા માટે હવે ફંડ નથી આથી આ વારદાતોને અંજામ આપનારા લોકો ચૂપચાપ બેઠા છે. હિંસક પ્રદર્શન કરનારા અને પથ્થરબાજી કરાવવા માટે હવે રૂપિયા જ નથી. કોઈ પણ આતંકી ઓપરેશન કે ભીડ દ્વારા પ્રદર્શન કરાવવા માટે રૂપિયાની જરૂર હોય છે અને તે હવાલા દ્વારા આવે છે. આ ખરેખર સૂચક અને ઊડીને આંખે વળગે તેવી બાબત છે કે ઘાટીમાં 8 નવેમ્બર પછી કોઈ જ આતંકી હુમલો થયો નથી.
નોટબંધીનો માઓવાદીઓ પર જબરદસ્ત અસર
માઓવાદીઓએ એકત્ર કરેલી મોટી રકમ જતી કરવી પડશે
નોટબંધીની માઓવાદીઓ ઉપર પણ જબરદસ્ત અસર પડી છે. તેમના ફંડિંગનો રસ્તો જ બંધ થઈ ગયો છે. બિહાર અને ઝારખંડ સ્થિત સીપીઆઈ નેતાઓ વચ્ચે જે વાતચીત પકડાઈ છે તેનાથી જાણવા મળે છે કે તેમણે બહોળા પ્રમાણમાં નોટો ભેગી કરીને રાખી હતી અને હવે તે ખોવાનો ડર છે. આ કેશ અપહરણ કરી અને અન્ય રીતે ભેગી કરેલી હતી. આ દરમિયાન સરકારી એજન્સીઓએ નકસલ પ્રભાવિત વિસ્તારોમાં રૂપિયાના ફ્લો ઉપર ચુસ્ત નજર રાખવાનું શરૂ કરી દીધુ છે. એવી પણ માહિતી છે કે માઓવાદીઓ બેંક કે કેશ વેનને પોતાનું નિશાન બનાવી શકે છે જેથી કરીને નુકસાનની ભરપાઈ કરી શકે.