કેરલના કાસરગોડ અને પલ્લાકાડથી જુલાઈમાં અચાનક ગુમ થઈ ગયેલા 22 લોકો અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના કેમ્પમાં શામેલ થઈ ગયા છે. એનાઆઈના સૂત્રોને મળેલી માહિતીથી આ સમાચાર બહાર આવ્યા છે. એએનઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શામેલ થયેલા લોકોમાં 13 પુરુષ અને 6 મહિલા સહિત ત્રણ બાળકો પણ છે.
એક એનઆઈના અધિકારીના જણાવ્યા પ્રમાણે દિલ્હીથી પકડાયેલા યાસમીન મોહમ્મદ જાહિદ એક સંદિગ્ધે આ જાણકારી આપે છે. તેઓ ભારતથી જઈ રહ્યા હતા. તેઓએ જાણકારી આપી છે એ પ્રમાણે ભારતથી આ લોકો બેંગલુરુ હૈદરાબાદ અને મુંબઈથી કુવૈત મસ્કટ અને આબૂધાબી થઈને અફઘાનિસ્તાન ગયા છે.