દેશના રાજકીય પટલ પર મોદી યુગના આરંભ સાથે જ ગાંધી પરિવારના યુગનો અંત થયો છે.દેશ પર દસ દસ વર્ષ સત્તા સંભાળનારી UPA સરકારની હાર સાથે જ કોંગ્રેસનો પ્રભાવ પણ લગભગ ખતમ થઈ ગયો છે. હજુ તો મોદીએ વડા પ્રધાન તરીકે શપથ પણ ગ્રહણ નથી કર્યા ત્યા જ સમાચારપત્રો અને ન્યૂઝ ચેનલમાંથી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાની જાહેરખબરો ગાયબ થઈ ગઈ છે.
21 મે 1991 એટલે કે આજથી બરાબર 23 વર્ષ પહેલા તમિલનાડુના શ્રીપેરામ્બદૂર ખાતેની એક જાહેર સભામાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનું આત્મઘાતિ બોમ્બ વિસ્ફોટમાં મોત થયું હતું. ત્યારથી આજ દિન સુધી જ્યારે જ્યારે કોંગ્રેસ કે પછી પછી કોંગ્રેસી ગઠબંધન ધરાવતી જે જે સરકારો આવી છે તેમાં 21 મે ના રોજ દેશના દરેક છાપા મેગેઝીન અને ટીવી ચેનલમાં રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પતી જાહેર ખબરો સંખ્યાબંદ્ધ રીતે છપાતી આવી છે. 2013 સુધી આ શિરસ્તો ચાલતો હતો. પરંતુ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર બાદ જે રીતે મોદી યુગનો પ્રારંભ થયો તેનાથી ગાંધી પરિવારના યુગનો અંત પણ થયો. તેની સાબિતી છે દરેક સમાચાર પત્રો અને ન્યૂઝચેનલ. 2004થી લઈ 2013 સુધીના કોઈ પણ સમાચારપત્રો ઉઠાવી લો...21 મેના દિવસનું છાપું જોશો એટલે દરેક સમાચાર પત્રમાં તમને રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પતી જાહેર ખબરો ચો[સ જોવા મળશે. પરંતુ આ વખતનું 21મી તારીખનું છાપું નિહાળજો.ક્યાંય પણ તમને રાજીવ ગાંધીના નિર્વાહ દિવસના સમાચાર તો શું તેમનો ફોટો પણ નહિ સાંપડે. આને જ કહેવાય ઉગતા સૂર્યને સૌ પૂજે..દર વર્ષે 21મી મેના રાજો સરકારના વિવિધ મંત્રાલયો અને કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારો રાજીવ ગાંધીના માનમાં કરોડો રૂપિયાના ખર્ચે જાહેર ખબરો પ્રકાશિત અને પ્રસારિત કરતી આવી છે. આ ઉપરાંત ઈન્ડિયન એરલાઈન્સ પણ દર વર્ષે રાજીવ ગાંધીના જન્મદિવસે અને પુણ્યતિથિએ થોકબંધ રીતે જાહેર ખબરો આપતી હોય છે. પરંતુ આ વખતે ઈન્ડિયન એરલાઈન્સે આવી એક પણ જાહેર ખબર છપાવી નથી..આ તો હજુ શરૂઆત છે. આગે આગે દેખીયે હોતા હૈ ક્યાં..રાજીવ ગાંધી ઉપરાંત ઈન્દિરા ગાંધીની જન્મતિથિ અને પુણ્યતિથિ ઉપરાંત જવાહર લાલ નેહરુની જન્મતિથિ તેમજ પુણ્યતિથિએ પણ કેદ્ર સરકાર દ્વારા દેશના લગભગ દરેક સમાચારપત્રોમાં મસમોટી જાહેર ખબરો છપાવતી હતી. પરંતુ હવે કોંગ્રેસની સરકાર જતાની સાથે જ આવી એક પણ જાહેર ખબર ક્યાંય નજરમાં નહિ આવે...આમ તો આવી જાહેરખબરો પાછળ થતો કરોડોનો ધુમાડો વ્યર્થ જ હતો. પરંતુ સિંહને કોણ કહે કે તારુ મો ગંધાય છે. એક RTI કાર્યકર્તાએ માંગેલી માહિતીમાં જે જાણકારી સામે આવી તે અનુસાર વર્ષ 2012માં ભારત સરકારે ગાંધી પરિવાર સાથે સંકળાયેલા નેતાઓને શ્રદ્ધાંજલિ કે જન્મતિથિ પર આપેલી જાહેરખબર પાછળ રૂ. 22 કરોડ કરતા પણ વધારેનો ખર્ચ કર્યો હતો. આ તો માત્ર ઉદાહરણ છે. 2004થી એટલે કે યુપીએ સરકાર સત્તામાં આવી તે સમયથી 2014ના પ્રારંભિક મહિનાઓ સુધી મનમોહન સરકારે આવી જાહેર ખબરો પાછળ કરેલા ખર્ચનો આંકડો માંગીયે તો કદાચ કુલ આંકડો 300થી 400 કરોડ થઈ જાય. પરંતુ એનો અર્થ એવો પણ નથી કે અગાઉની સરકારો આવું કરતી ન હતી. અને હવે પછીની સરકાર આવું નહિ કરે..