"આજે ગુજરાત" કાર્યક્રમ વીટીવી ગુજરાતી એચડીમાં સવારે 8 થી 8.30 કલાક દરમિયાન ટેલીકાસ્ટ કરવામાં આવે છે તેનો આપ લાહવો લેતા હશો જો કોઇ કારણોસર આપને આ કાર્યક્ર્મ જોવાનું રહી જાય તો અહીં આ કાર્યક્રમની સંપુર્ણ વિગત અમે અહીં રજૂ કરી છે...
દ્વારકા જીલ્લાના ખંભાળીયા ગામમાં આજે રાષ્ટ્રીય મતદાર દીવસની ઉજવણી કરવામાં આવશે..જેમાં સવારે 9 વાગ્યે જાગૃતી રેલી યોજાશે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. બાદમાં મેધજી પેથરાજ કુમાર છાત્રાલય હોલ ખાતે ઉજવણી કરાશે.
દ્વારકાના પ્રખ્યાત સિધ્ધેશ્વર મારૂતી મંદીર ખાતે આજે સાંજે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામા આવ્યું છે.
જામનગર ખાતે આજે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીના ભાગરૂપે સવારે 9 વાગ્યે કલેકટર કચેરીથી મતદાર જાગૃતી રેલી યોજાશે. અને રેલી પૂર્ણ થયા બાદ વરિષ્ઠ મતદારોનો સન્માન સમારોહ યોજાશે. તેમજ યુવા મતદારોને ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશે. જે સવારે 10 વાગ્યે ટાઉનહોલ ખાતે જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાશે.
ભાવનગર ખાતે આજે રાષ્ટ્રીય મતદાતા દીવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સવારે 10 વાગ્યે સ્વામી વિવેકાનંદ હોલ શામળદાસ કોલેજ ખાતે યોજાશે.
સિદસર ખાતે આજે સાંજે 4 વાગ્યે ખેતીવાડી અને વિજકંપનીને લગતા પ્રશ્ર્નો અંગે ખેડુતો સાથે સંમેલન યોજાશે. જેમાં PGVCL ના એમ. ડી સંદીપકુમાર ઉપસ્થિત રહેશે.
ભાવનગર ક્ષત્રિય યુવા શકિત ગૃપ દ્વારા ધર્મ સંમેલન અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.જે સાંજે 6 વાગ્યે આટામીલ કંપાઉન્ડ નિર્મળનગર ખાતે યોજાશે.
ભાવનગર ખાતે પ્રાર્થના જૈન યુવક મંડળના ઉપક્રમે "રન ફોર સંસ્કૃતિ" ના નામે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.. આ દોડ કૃષ્ણનગરથી શરુ થઈ દાદાસાહેબ ખાતે પુરી થશે.
અમરેલી ખાતે જિલ્લા પંચાયત રીક્રીએશન કલબ આયોજીત શબ્દ સુરને મળે તેમજ બાળકોને પ્રોત્સાહન અને નિવૃત કર્મચારીઓનો વિદાય સન્માન સમારોહ યોજાશે..જે બપોરે 3 વાગ્યે કડવા પટેલ સમાજની વાડી ખાતે યોજાશે.
અમરેલી ખાતે આજે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવશે..જે આર્ય સમાજ હોલ શ્રીમતી શાંતાબહેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે.
કબીર આશ્રમ પાલનપુર દ્રારા યોજાનાર સર્વજ્ઞાતિ સમુહ લગ્નની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.. જે સવારે 10 વાગ્યે કુંવરબા સ્કુલ ખાતે યોજાશે... જેમાં દેશ વિદેશથી આવતા સમુહલગ્ન દાતાઓ અને સમુહલગ્નની માહિતી કબીર આશ્રમના સાઘવી સરલાબહેન આપશે.
ડીસા તાલુકાના ધાડા ગામના હિજરતી દલિતોની ન્યાયની માગ સાથે લોકજનશિ~ત પાર્ટીના ચાલી રહેલા ધરણાં કાર્યક્રમમાં લોકજનશિ~ત પાર્ટીના અઘ્યક્ષ રામવિલાસ પાસવાન પ્રદેશ કાર્યકર્તાઓ સાથે ધરણાંમાં જોડાશે.. જે સવારે 11 વાગ્યે યોજાશે.
રાજકોટના બહુમાળી ભવન ખાતે આજે સવારે 10 વાગ્યે મતદાર જાગૃતી રેલીનો પ્રારંભ થશે.. જેમાં જીલ્લા કલેકટર રાજેદ્ર કુમાર રેલીને પ્રસ્થાન કરાવશે..અને આ રેલીમાં મોટી સંખ્યામા લોકો જોડાશે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે રાજય કક્ષાનો પ્રજાસતાક મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંયુકત ઉપક્રમે આ મહોત્ત્સવ યોજાશે. પ્રજાસત્તાક પર્વના એક દિવસ પૂર્વે આજે બપોરે 2 વાગ્યે આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે યુવા સંમેલન યોજાશે.. જે દરમિયાન મુખ્યમંત્રી નરેદ્ર મોદી હાજર રહેશે.
સાબરકાંઠાના હિમતનગર ખાતે રાજય કક્ષાનો પ્રજાસતાક મહોત્સવ યોજાશે. જે સાબરકાંઠા અને અરવલ્લીના સંયુકત ઉપક્રમે યોજાશે. જેમાં આજે સાંજે 7 વાગ્યે ખેડતસીયા રોડ વૈશાલી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતીક કાર્યક્રમ યોજાશે.જેમાં નરેન્દ્ર મોદી સભા સંબોધશે.
વડોદરામાં હાલ ત્રીદિવસીય અખિલ ભારતીય સાવરકર સાહિત્ય સંમેલન ચાલી રહ્યું છે જેમાં આજે સવારે 9.30 કલાકે વીર સાવરકરની વાગ્મય ર્દિષ્ટ અને સૃષ્ટિવિશે પરિસંવાદ યોજાશે.. જેમાં ડો. અરુણા ઢેરે અવિનાશ કાંત ડો. શરદ હેબાળકર અને ડો.વીણા દેવ વ્યાખ્યાન આપશે.. જ્યારે સવારે 11.30 કલાકે સ્વામી વિવેકાનંદ અને સ્વાતંત્રય સેનાની વીર સાવરકરની સામ્યતા વિશે ઈતિહાસકાર અરવિંદ કુલકર્ણી વ્યાખ્યાન આપશે.. અને બપોરે 4 વાગે ડો. દામોદર નેને અને શ્રીધર દામલેની વીર સાવરકર વિશેની મુલાકાત જાણીતા કવિ મકરંદ મુસળે લેશે.. જ્યારે સાંજે 5.30 કલાકે વીર સાવરકરનું તત્વ ચિંતન વિષય પર પ્રકાશ જાવડેકર દાદા ઇદાતે શુભાંગિની પાટણકર વ્યાખ્યાન આપશે..અને રાત્રે 8.30 કલાકે સાવરકરજીના કાવ્યો પર આધારિત ગીતોનો કાર્યક્રમ મહારાષ્ટ્રના જાણીતા સંગીતકારો અને ગાયકો દ્વારા પ્રસ્તુત " અનાદિ મી.. અવધ્ય મી " યોજાશે. આ કાર્યક્રમનમા અતિથિ વિશેષ તરીકે ર્જામંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહેશે.
સુરેદ્રનગર જાયન્ટસ ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ સાહેલી દ્રારા વર્ધમાનપુરી ઝાલાવાડ અને યંગ્સકલબના સભ્યોની શપથવિધિ અને પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.. જે સાંજે 4 વાગ્યે ક્રિષ્ના મેમોરીયલ હોલ ખાતે યોજાશે..જેમાં નવા સભ્યોને સુરેદ્રનગરના બકુલાબહેન ભટ્ટ શપથવિધિ કરાવશે.
સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલ શિરોમણી રોહિદાસ ભવન ખાતે આજે સંત રવિદાસ યુથ કલબ ગુજરાત દ્રારા રોહિદાસવંશી સમાજની પરિચય પુસ્તીકા અને કેલન્ડર રવિદિપ-2014 નું વિમોચન કરવામાં આવશે.. આ પ્રસંગે રોહિદાસવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
રાજપીપયળા ખાતે આજે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીના ભાગરૂપે મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાશે.. જેમાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેકટર રાકેશ શંકરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે.. જે સવારે 11 વાગ્યે સરદાર ટાઉન હોલ ખાતે યોજાશે.. તેમજ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ડેડીયાપાડા પ્રાંત કચેરી સાગબારા અને તિલકવાડા મામલતદાર કચેરી દ્વારા અને જિલ્લામાં બુથ લેવલ ઓફિકસ દ્વારા જે તે બુથ લેવલે પણ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાશે.
પોરબંદરમાં રોટરી કલબ ઓફ રાણાવાવ તથા રોટરી કલબ પોરબંદરના ઉપક્રમે આજે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.. જે સાંજે 6 થી 10 દરમિયાન સાંદીપની ઓડીટોરીયલ હોલ ખાતે યોજાશે.. જેમાં મુંબઇ અને વડોદરાના ખ્યાતનામ કલાકારો સંગીતની સુરાવલી વહાવશે.
જિલ્લા કક્ષાના પ્રજાસતાક દિનની ઉજવણીના ભાગરૂપે તાપીના નિઝર ખાતે શ્રી આર. જી. પટેલ હાઇસ્કુલ ખાતે તંત્ર દ્વારા પુરજોશમાં તડામાર તૈયારી ચાલી રહી છે.. પ્રજાસતાક દિને રાજય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી જશવંતશસહ ભાભોરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાશે.
સુરેદ્વનગર જીલ્લાનાં ચોટીલા તાલુકાનાં જાનીવડલા ગામે સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત વિવેકાનંદ સ્કુલ ખાતે રમોતોત્સવ - ર014 યોજાશે.. જેમાં શાળાનાં વિવિદ્ય વર્ગનાં બાળકો અનેકવિદ્ય રમતોમાં ભાગ લેશે.. જેમાં ઉતિર્ણ થનાર બાળકોને પ્રોત્સાહીત કરવા માટે મુમેન્ટો અર્પણ સમારોહ યોજાશે.
અમદાવાદ શહેર કાંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદમાં નાગરીકોને મળતી સૌથી મોંઘી વિજળી ટે~સ અને વેટ સામે સહી ઝુંબેશ ચલાવશે.. જે મણીનગર રેલવે સ્ટેશન ખાતે આ કાર્યક્રમ યોજાશે.. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન રાવલ અને અગ્રણીઓ હાજરી આપશે.
આજે પીયુસીલએલ લોક આંદોલન ગુજારાત દ્વારા મહેદીં નવાઝ જંગ હોલ ખાતે ભયમુક્ત ગુજરાત ભ્રમમુક્ત ગુજરાત વિષય અંતર્ગત નાગરીક સંમેલન યોજાશે.. જે બપોરે 1: 30 થી સાંજે 4:30 દરમિયાન યોજાશે.. જેમાં ગુજરાતના સામાજીક કાર્યકરો પોતના વિચારો રજુ કરશે.. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે ધરણાં અને દેખાવો કરવામાં આવશે.
આજે જાણીતા ન્યુઝ એન્કર જર્નાલીસ્ટ અને આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ ગુપ્તા બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.. જેઓ ગાંધી આશ્રમની મુલાકાત લઇ સાંજે 4 વાગ્યે આયોજન નગર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધશે.. અને તેઓ 26મી આપની ઝાડુ યાત્રાને પ્રસ્થાન કરાવશે.
અમદાવાદના મેયર મીનાક્ષીબહેન પટેલ વ્યાસવાડી ચાર રસ્તા ખાતે આવેલા ચોકનું સાંજે 4:30 વાગ્યે ભગવાન પરશુરામ ચોક નામાભિધાન કરશે.
આજે દમણ પ્રશાસન દ્વારા વિવેકાનંદ ઓડીટેરીયમ ખાતે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવશે.. જે સવારે 10 વાગ્યે યોજાશે.. આ કાર્યક્રમમાં પ્રદેશના પ્રશાસક ભુપેન્દ્ર ભલ્લા તેમજ કલેકટર રમેશ વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહશે.. તેમજ આ પ્રસંગે યુવા ને નવા ચૂંટણી કાર્ડ આપવામાં આવશે.. તેમજ ચૂંટણી લક્ષી કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરનારને ઇનામ વિતરણ કરાશે.
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સંતરામ મંદિરમાં ભજન શિબિરનું આયોજન કરાયું છે. ભજન મંડળીઓ કિર્તનગાન કરશે અને મંદિરના મહંત રામદાસજી મહારાજ અને જામનગરના મહંત દેવપ્રસાદજી મહારાજ શુભ આશિર્વાદ પાઠવશે. આ કાર્યક્રમ સવારે 9.30 વાગ્યે શરૂ થશે.
ભારતના ચૂંટણીપંચના સ્થાપના દિને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. આ નિમિત્તે પાટણમાં રાણીની વાવ પરિસર ખાતે નિષ્ણાત મતદાતા જાગૃતિ અંતર્ગત માર્ગદર્શન અપાશે.
પાટણની રાણીની વાવની અસ્મિતાને ઉજાગર કરવા વાવની પરિસરમાં સંગીત સંધ્યા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસ ગઝલના સૂર રેલાવશે. તો પાટણની બાળકીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. આ કાર્યક્રમ સાંજે 7 વાગ્યે યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી રમણલાલ વોરા ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ દિલીપ પંડયા જગદીશ ઠાકોર ધારાસભ્ય રણછોડ દેસાઈ બળવંતશસહ રાજપૂત સહિતના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પાટણની પ્રભૂતા રજૂ કરતી ડોક્યુમેન્ટરી પ્રસ્તુત કરાશે. મહત્ત્વનું છે કે ગુજરાતનું ગૌરવ ધરાવતી પાટણની રાણીની વાવ ટુંક સમયમાં વિશ્વ વિરાસત તરીકે સ્થાન પામશે..
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરામાં સવારે 9 વાગ્યે મતદાર જાગૃતિ રેલી નિકળશે. જ્યારે સવારે 11 વાગ્યે સરદારનગર ખંડમાં સમારોહ યોજાશે. જેમાં વર્ષ 2013 દરમિયાન મતદાર નોંધણી કાર્યમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનાર સરકારી કર્મચારીઓ અને નવા નોંધાયેલા યુવા મતદારોનું સન્માન કરવામાં આવશે.
રાજકોટ ખાતે આજે મહાનગરપાલિકા દ્રારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે..આ સંગીત સંધ્યા કાયૅક્રમમાં જાણીતા ગાયક કલાકાર સુરેશ વાડકરજી પોતાના સુરોથી રાજકોટને ડોલાવશે.. સંગીત સંધ્યામાં દેશભકિતના ગીતો પણ યોજાશે.. તેમજ આ સમયે મોટી સંખ્યામાં ભાજપના ઓગાવાનો ઉપસ્થિત રહેશે.