ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા પ્રવાસીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારાની એન્ટ્રી પર મુક્યો પ્રતિબંધ
આ પ્રતિબંધ 11 એપ્રિલથી શરુ થશે
હવે 28 એપ્રિલ બાદ ભારતમાંથી કોઈ ન્યૂઝીલેન્ડ જઈ શકશે
ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારાની એન્ટ્રી પર મુક્યો પ્રતિબંધ
ભારતમાં કોરોના વાયરસ જે રીતે બેકાબુ થયો છે. તેના પર દુનિયાની નજર છે. ભારતની સ્થિતિને જોતા ન્યૂઝીલેન્ડે મહત્વનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા પ્રવાસીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી શરુ થશે.
આ પ્રતિબંધ 11 એપ્રિલથી શરુ થશે
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડેને એલાન કર્યુ છે કે ભારત આવનારા લોકોની એન્ટ્રી 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી રોકી દેવામાં આવી છે. આ નિયમ ન્યૂઝીલેન્ડમાં 11 એપ્રિલ સાંજે 4 વાગે લાગૂ કરી દેવામાં આવશે.
હવે 28 એપ્રિલ બાદ ભારતમાંથી કોઈ ન્યૂઝીલેન્ડ જઈ શકશે
જોઈ કોઈ ન્યૂઝીલન્ડની વ્યક્તિ ભારતમાં છે અને તે પાછા આવવા ઈચ્છે છે તેણે અત્યારે આ દરમિયાન એન્ટ્રી નહીં મળે. એટલે કે હવે 28 એપ્રિલ બાદ ભારતમાંથી કોઈ ન્યૂઝીલેન્ડ જઈ શકશે. જો કે આ કડકાઈ આગળ લાગૂ રહેશે તેના પર નિર્ણય ત્યારની સ્થિતિને જોઈને લેવામાં આવશે.
ફક્ત 2 દિવસમાં જ લગભગ દોઢ લાખ મામલા
ઉલ્લેખનીય છે કે આ સમયે ભારતમાં જે પ્રકારે કોરોનાના નવા મામલા આવી રહ્યા છે. તે દુનિયામાં સૌથી તેજીથી વધનારા દેશમાંનો એક છે. ગત 4 દિવસોમાં ભારતમાં લગભગ 5 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. ફક્ત 2 દિવસમાં જ લગભગ દોઢ લાખ મામલા સામે આવ્યા છે. જે ચિંતાજનક છે.
આઈપીએલમાં ન્યૂઝીલેન્ડના અનેક ખેલાડી ભાગ લઈ રહ્યા છે
ન્યૂઝીલેન્ડ એક સમય પર કોવિડ ફ્રી જાહેર થઈ ચૂક્યો હતો. જો કે બાદમાં થોડાક મામલા ત્યાં આવ્યા પરંતુ સ્થિતિ હંમેશા કાબૂમાં રહી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શરુ થઈ રહેલા આઈપીએલમાં ન્યૂઝીલેન્ડના અનેક ખેલાડી ભાગ લઈ રહ્યા છે.