પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહુ જ સમજી વિચારીને પોતાનું મંત્રીમંડળ પસંદ કર્યું છે. દરેક વર્ગની ભાગીદારીનું આમાં સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમને લાગી રહ્યું હશે કે નવી સરકારનો ચેહરો પાંચ વર્ષ જૂના જેવો જ હશે. ભાજપના નેતાઓનો તર્ક છે કે જોશ ઉપર હોશ અને અનુભવોને પસંદગી આપવામાં આવી. પરંતુ આ વખતે કેટલાક એવા મોટા ચેહરા છે, જેમને મંત્રીમંડળમાં જગ્યા નથી મળી, જે ગત સરકારમાં મંત્રી હતા. કેટલાક નામો તો ચોંકાવનારા છે. કોણ છે એ દિગ્ગજો જેમનું આ વખતે મંત્રી પદ પરથી પત્તુ કપાયું છે.
સુષમા સ્વરાજ
2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર બની તો સુષમા સ્વરાજને વિદેશ મંત્રાલય સોંપવમાં આવ્યું. સુષમાએ ગત 5 વર્ષોમાં શાનદાર રીતે કામ કર્યું. લોકો સીધા ટ્વિટરથી સુષમાની મદદ માંગતા હતા અને વિદેશ મંત્રી મદદ માટે હાજર રહેતા હતા. પરંતુ આ સરકારમાં સુષમા સામેલ નથી થયા. જોકે તેમણે તબિયતનું કારણ આપીને પહેલા ચૂંટણી લેવાની મનાઇ કરી દીધી હતી.
અરૂણ જેટલી
ગત સરકારમાં અરૂણ જેટલી નાણામંત્રી હતા. પરંતુ આ સરકારમાં તેઓ બહાર છે. જોકે ખુદ અરૂણ જેટલીએ સ્વાસ્થ્ય બરાબર ન હોવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને મંત્રીપદની જવાબદારી ન લેવાની અપીલ કરી હતી.
મહેશ શર્મા
મહેશ શર્મા એક વાર ફરી ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધનગર બેઠક પરથી જીતીને સાંસદ બન્યા છે. ગત સરકારમાં મહેશ શર્મા કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી હતા. પરંતુ આ વખતે મંત્રીમંડળમાં સામેલ નથી કરવામાં આવ્યા.
સુરેશ પ્રભુ
ગત સરકારમાં સુરેશ પ્રભુને પહેલા કેન્દ્રીય રેલમંત્રી બનાવવામાં આવ્યા હતા બાદમાં તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ હવે નવી સરકારમાં સુરેશ પ્રભુને જગ્યા નથી મળી શકી.
રાજ્યવર્ધનસિંહ રાઠોડ
પૂર્વ ઓલંપિયન અને રમત, સૂચના અને પ્રસારણ મંત્રાલયનો સફળતા પૂર્વક કાર્યભાર સંભાળનારા રાઠોડને પણ મંત્રીમંડળમાં સામેલ નથી કરવામાં આવ્યા.
જેપી નડ્ડા
મોદી સરકારે ગત કાર્યકાળમાં નડ્ડા સ્વાસ્થ્ય મંત્રી હતા. આ વખતે તેમને મંત્રી નથી બનાવવામાં આવ્યા. જોકે સંભાવના છે કે તેમને અમિત શાહની જગ્યા પર ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
મેનકા ગાંધી
આ વખતે મેનકા ગાંધી સુલ્તાનપુર લોકસભા બેઠકથી જીતીને સંસદ પહોંચ્યા છે. ગત ચૂંટણીમાં મેનકા પીલીભીતથી જીતીને આવ્યા હતા. ગત વખતે તેમને કેન્દ્રીયમંત્રી બનાવાયા હતા પરંતુ આ વખતે તેમને જગ્યા નથી મળી શકી.
જયંત સિન્હા
ગત 5 વર્ષમાં જયંત સિન્હાએ પહેલા કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અને બાદમાં કેન્દ્રીય નાગર વિમાનન રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. પરંતુ આ વખતે તેમને મંત્રીમંડળમાં સમાવવામાં નથી આવ્યા.
ઉમા ભારતી
ભાજપના ફાયર બ્રાંડ નેતા ઉમા ભારતીને નવી સરકારમાં જગ્યા નથી મળી શકી.
મનોજ સિન્હા
ગત સરકારમાં મનોજ સિન્હા મંત્રી હતા. અને ગાઝીપુરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ આ વખતે મનોજ સિન્હા ચૂંટણી હારી ગયા, પરંતુ આશા હતી કે તે છતા પણ તેમને મંત્રી મંડળમાં જગ્યા મળશે, પરંતુ તેમને સામેલ નથી કરવામાં આવ્યા.
રામકૃપાલ યાદવ
પાટલીપુત્ર લોકસભા બેઠક પર લાલૂ યાદવની દીકરી મીસા ભારતીને હરાવનાર રામકૃપાલ યાદવને આ વખતે મંત્રી નથી બનાવવામાં આવ્યા.
અનંત કુમાર હેગડે
ઉત્તર કન્નડ લોકસભા બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાવનારા અનંત કુમાર હેગડેને આ વખતે મંત્રી પદ નથી સોંપાયું.
શિવ પ્રતાપ શુક્લ
શિવ પ્રતાપ શુક્લને ભાજપના મોટા નેતાઓમાં ગણવામાં આવે છે. ગત સરકારમાં તેઓ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી હતા. પરંતુ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે.